SearchBrowseAboutContactDonate
Page Preview
Page 318
Loading...
Download File
Download File
Page Text
________________ કર્મ પ્રકૃતિનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૯ વાથી બંધાતાં જે શુભ કર્મ તે “પુણ્યકર્મ કહેવાય, અને તે પુણ્યકર્મનું ફળ પુણ્યોદય કહેવાય છે. હિંસા-અસત્ય-ચેરી-અબ્રહ્મ–પરિગ્રહ-કોધ-માનમાયા-લભ-રાગ-દ્વેષ-કલેશ-ગુગ્લી-જુઠુંઆળ- હર્ષ, શેકનિંદા-છલકપટ અને મિથ્યાત્વ, એ અશુભકાર્યોને પાપ કહેવાય છે. તેવાં અશુભ કાર્યો કરવાથી બંધાતાં જે અશુભ કર્મ, તે પાપકર્મ કહેવાય છે. અને તેવા અશુભ કર્મોનું ફળ તેને પાપોદય કહેવાય છે. એક ભવમાં કરેલ પુણ્ય અથવા પાપનું ફળ તે જીવને તે ભવમાં જ મળે, એ. નિયમ નથી. તે ભાવમાં પણ મળે અને અનેક વે બાદ પણ મળે. આ હકીકત આગળ પ્રકરણ આઠમામાં કહેલ, સ્થિતિબંધના સ્વરૂપથી સમજાશે. ' વર્તમાનકાળે પાપ કરનારા કેટલાક જીવને સુખી. થતા દેખી, અને પુણ્ય કરનારા કેટલાક જીને દુઃખી થતા દેખી, અનેક અજ્ઞાની મનુષ્ય ધર્મ યા પુણ્યની ધૃણા કરે છે. પરંતુ તેઓ સમજતા નથી કે, કે વર્તમાન સુખ તે. પૂર્વકૃત પુણ્યનું ફળ છે. અને વર્તમાન દુઃખ તે પૂર્વકૃતપાપનું ફળ છે. વર્તમાન સમયે કરાતાં પુણ્યકર્મોથી ભવાન્તરમાં સુખ, અને વર્તમાન સમયે કરાતાં પાપકર્મોથી ભવાન્તરમાં દુ:ખ મળે છે. પુણ્યનું ફળ તે શ્રેષ્ટ છે પરંતુ તેમાં પ્રમાદ થઈ જાય તે પુન્ય પણ દુર્ગતિમાં લઈ જવાવાળું થાય છે. અને પુન્યફળથી પ્રાપ્ત સામગ્રી દ્વારા આત્મસ્વરૂપ પ્રાપ્તિની.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy