SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૨૭૯વિચારવું જરૂરી છે. આવું માનનારાઓએ જીવનનું ધ્યેય. માત્ર અર્થ અને કામ પુરતું જ સ્વીકાર્યું છે. આજના વૈજ્ઞાનિકોએ પણ ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ, માત્ર અર્થ અને કામના જ ધ્યેયવાળી છે. ધર્મ અને મોક્ષના ધ્યેયની તે તેમાં ગંધ સરખી પણ નથી. ગત્રને ભેદ ટાળવાનું કહેનારા આજના યુગવાદીઓ, નીચ ગોત્રના ઉદયવાળા માનવીઓને, ઉચ્ચ ગેત્રીય સંસ્કારોથી વાસિત કરવા વડે, ઉચ્ચ ગેત્રની કક્ષામાં મૂકવા ઈચ્છતા હોય, તે તે જરૂર તે આદરણીય છે. અને તે પ્રયત્ન દુનિયાને દષ્ટિગોચર થશે, તો વિના કહે પણ દુનિયામાં પરિવર્તન પામેલ નીચ ગોત્રવાળાએ, આદરસત્કારને પામશે. અને ઉચ્ચ ગોત્રની કક્ષામાં મૂકાશે. બાકી. સમાનતા લાવવાના બહાને ઉચ્ચ ગોત્રમાં જન્મ પામેલા આત્માઓમાંથી પણ, ધર્મ અને મોક્ષરૂપ પુરૂષાર્થને વંસ કરવાના ઈરાદે, યા તે ગોત્રભેદના હિસાબે, ઉચ્ચગોત્રમાં જન્મ પામેલા પિતાને અનિચ્છાએ પણ ઉચ્ચ ગોત્રના સંસ્કારેને અનુસરવું પડે છે, તેમાંથી છૂટી જવા માટે, સર્વેમાં સમાનતા લાવવાને શંખનાદ ફેંકતા હોય તે, તે ભારતવર્ષની સંસ્કૃતિને જબરજસ્ત નુકશાન કરનાર છે. જે દેશમાં આધ્યાત્મિક સંસ્કૃતિ નથી, તે દેશમાં ગોત્રના ભેદ સંભવી શકતા નથી. તેવા દેશનું અનુકરણ આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતવર્ષમાં કરવું એગ્ય લેખાશે. નહિ. જ્યાં સુધી આધ્યાત્મિક સંસ્કૃતિ છે, ત્યાં સુધી
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy