SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકૃતિ બંધ ૨૨૭ સમયે ઉપકમ થાય તે, તે ઉપક્રમે માત્ર તેમને કષ્ટને અર્થ સમજવા, પણ આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહિ. જેમકે સ્કન્દકાચાર્યના પાંચ શિ, તથા અર્ણિ કાપુત્ર આચાર્ય, ઝાંઝરીયામુનિ વિગેરે ચરમ શરીરી હોવાથી અનપત્તિ આયુષ્યવાળા હતા. તેમને ઉપસર્ગ થયા તે આયુષ્યક્ષયમાં કારણભૂત હતા જ નહિં. કર્મબંધનાં અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે. અને અસંખ્ય લોકાકાશના પ્રદેશપ્રમાણ છે. તે સ્થાનકમાં કેટલાંક નિરૂપકમકર્મને ઉત્પન્ન કરનાર છે. તેથી જેવા અધ્યવસાયે જે કર્મ બાંધ્યું હોય, તે કર્મ તેવી રીતે ભોગવવું પડે છે. જેમ અમુક યોજન લાંબા માર્ગમાં ઘણું માણસો એક સાથે ચાલ્યા હોય, છતાં તેમની ગતિની તરતમતાથી જવાના સ્થાને પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કેઈ વહેલા પહોંચે છે, કઈ વિલંબે પહોંચે છે). તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણું જીએ બાંધ્યું હોય તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. કહ્યું છે કે – पिंडीभूतः पटः क्लिनश्चिरकालेनशुष्यति । प्रसारितः स एवाशु, तथाकर्माप्युपक्रम : ॥१॥ ભાવાર્થ –જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મુકયું હોય તે તે લાંબી મુદતે સુકાય છે, અને તેજ વસ્ત્ર લાંબુ કર્યું હોય તે જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કમ યણ ઉપક્રમેથી જલ્દી ક્ષય પામે છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy