________________
આત્માની સ્વભાવ દશા સર્વજ્ઞ અને સર્વદશી કહેવાય છે. હવે ચારિત્ર અંગે વિચારતાં, અનન્ત વસ્તુઓ પ્રત્યે કેધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્ત ચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનન્ત પુર્યાય.. યુક્ત છે. પોતાના આત્માના સર્વ પર્યાય તે સ્વધર્મ છે, તથા પિતાથી ભિન્ન એવા અછવદ્રવ્યના ધર્મ તે પરધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એજ ચારિત્રની પરિણતિ છે. પરરમણુતા નિવારી, સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિતિને પર ભાવથી રેકી, સ્વરૂપમાં રાખવી, તેજ ચારિત્રની અનન્તતા છે. સર્વ જીવોથી અનંતગુણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગણા થાય. એવી અનેક વણાઓને એક સ્પદ્ધક થાય છે. એ સર્વ સંયમસ્થાનકનાં અસંખ્યષગુણ વિધિથી અસંખ્યષણ કરવાથી સર્વેકૃષ્ટ સંયમ સ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વચારિત્રગુણ નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તતા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુદ્ગલફળ આશંસારૂપ દેષરહિત એવું સ્વરૂપ– સ્થિરતારૂપજે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસં. ગતા, પરમક્ષમા, પરમાર્દવ, પરમઆર્જવ, પરમનિર્લોભતારૂપ સ્વરૂપએકત્વ, ચારિત્ર ધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણુથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટ વીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખંડ કરવામાં આવે તે અનન્ત સૂફમભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય કહેવાય છે.
અનન્ત જ્ઞાન, અનન્ત દર્શન. અનન્તચારિત્ર અને અન