________________
૨૧૧
પ્રકૃતિ બંધ કરે તેજ સત્યને માર્ગ છે. આ માર્ગ તરફ જીવોને વાળવા એ જ ભાવ અનુકંપા છે. પાપીઓને દેખી પાપીને તિરસ્કાર નહિં કરતાં પાપ પ્રત્યે તિરસ્કાર હવે જોઈએ. પાપીને દેખીને તે હદય દ્રવિત થવું જોઈએ કે આ બિચારાને અજ્ઞાનતાની ભાવ બિમારી છે. તેની અજ્ઞાનતાની બિમારી હટાવવા માટે મારે કેશિષ કરી તેને સમાગે લાવવાની કેશિષ કરવી જોઈએ. અને પિતે કોશિષ કરતાં છતાં પણ તે વિપરીત માર્ગને ત્યાગ ન કરે તે તે માણસની તેવી ભવિતવ્યતા જ સમજી તેના પ્રત્યે માધ્યરથ ભાવવાળો પોતે બને. સમ્યગદર્શનવાળો જીવ તે શક્તિ અનુસાર
આ બન્ને પ્રકારે અનુકંપા કરતું જ રહે છે. અનુકંપા વિના તે નિવેદ અને શાતિ નકામાં છે.
હવે શમ-સંવેગ-નિર્વેદ અને અનુકંપાના પાલનને પૂર્ણ આધાર તે આસ્તિકતા ઉપર જ છે. આસ્તિકતા ન હોય તે પૂર્વોક્ત ચાર લક્ષણની પૂરી સમજ પણ ન પામે. સમ્યકત્વનું મુખ્ય લક્ષણ તે આસ્તિકતા છે. જેથી આ આસ્તિકતા લક્ષણે તે સમ્યગદષ્ટિમાં હેવું જ જોઈએ. આ ન હોય તે બધું જ નકામું.
જે આત્માએ રાગદ્વેષને સર્વથા જીત્યા છે, એવા વીતરાગ, તારક, તીર્થના સ્થાપક છે. શ્રી જિનેશ્વરે જે કહેલ છે તે સાચું, તે જ શંકા વિનાનું એમ માનવું તે આસ્તિકય છે. આસ્થા, શ્રદ્ધા, ખાત્રી, પ્રતીતિ, નિશ્ચય, દઢતા, આસ્તિક્તા વિગેરે એકર્થ નામે છે. શ્રી મહાવીર