SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ પ્રકૃતિ બંધ આ વિચાર કરી પિતાના અપરાધીનું વિપરીત ચિંતવતું નથી. અને પોતાના કર્મને બદલે સમજી, અને ત્યાં સુધી તેનું ભલું જ કરે છે. અહીં સમજવું ખાસ જરૂરી છે. કે “અપરાધીનું પણ બુરૂં ન ચિંતવવું” એટલે પોતાને બચાવ પણ ન કરે અને કેઈ ઘર લૂંટી જાય, મારી જાય, સગાં કુટુંબી. એને મારી જાય, નુકસાન કરી જાય, વિગેરે થાય તે પણ જોયા કરવું, એમ કહેવાને આશય નથી. પિતે જે વ્યવહારમાં બેઠો છે, તે વ્યવહાર પૂરતી બધી કાળજી રાખવી અને પિતાને તથા પિતાની નિશ્રાએ રહેલા મનુષ્યને પૂરતે બચાવ કરે. બચાવ કરતી વખતે જેવા સંગે ઉપસ્થિત થયા હોય તેવી પ્રવૃત્તિ પણ કરી લેવી. આ વખતે તેણે પિતાને ધર્મ, એટલે પિતાને માથે આવેલી ફરજ તે જરા પણ ચૂકવી નહિં. તે ફરજ નહિ બજાવે તે તેના ધન, માલ અને વ્યવહારને નાશ થશે. અને તે સાથે તેના હૃદયમાં ગુપ્ત અસહ્ય વેદના થશે. વિવિધ પ્રકારના વિચારની ઘટમાળ ઉત્પન્ન થશે. સગાં, ધન, માલ, વિગેરેને નાશ થવાથી લેકે તરફથી ફીટકાર થશે, કે જેને લઈને અનિચ્છાએ પણ તેને પ્રવૃત્તિ કરવી પડશે. કદાચ પ્રવૃત્તિ નહિ કરે તે તેની પિતાની ફરજ નહિ બજાવવાના બદલામાં તેના હૃદયમાં ખેદ, ખિન્નતા,
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy