________________
૧૯૮
જૈન દર્શનને કર્મવાદ
આંશિક સત્યને જૂ હું માને છે. પરંતુ સમકિત પ્રાપ્તિ થયા બાદ પ્રત્યેક દર્શનની આંશિક સત્યતા જે અલગ અલગ હતી, અને તે આંશિક સત્ય સ્વરૂપે કહેવામાં જે અપેક્ષા હતી, તે સર્વ અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ સર્વ આંશિક સત્યતાની શંખલાને સમન્વય કરી, સ્યાદ્વાદ દષ્ટિથી પરીક્ષા કરવાની બુદ્ધિ પેદા થવાથી, તે આત્મસ્વરૂપાદિ તત્ત્વજ્ઞાનને યથાર્થ રૂપે સમજી શકે છે. તે આંશિક સત્યતા અલગ પડી હેય ત્યાં સુધી, તે માન્યતામાં મિથ્યાત્વ છે, અને તે પ્રત્યેક સત્યતાને સમન્વય થાય અર્થાત્ સમન્વયપૂર્વક તેને વિચાર કરાય તે સમકીત છે. એ પ્રમાણે સમકિત ગુણથી આત્મસ્વરૂપને યથાર્થ રીતિએ સમજીને શુદ્ધ આત્મસ્વરેપ કેવું હોય? તે શુદ્ધતાને મલિન કરવાવાળા કને આત્મની સાથે કેવા સ્વરૂપે, કેવા પ્રકારે સંબંધ થયે છે? અને તે સંબંધથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વરૂપ, આત્મસાક્ષાકાર કરવાને માટે કેવા આચારના પાલનપૂર્વક જીવન ચય બનાવવી જરૂરી છે, તે સર્વ વાતોને આત્મા, સત્યરૂપથી સમજીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્તન કરવા માટે ઉદ્યમવંત બને છે.
સમ્યક્ત્વ રસને સ્વાદ અલૌકિક છે, આત્મિક છે. તે આત્માના અનંતગુણેને અંશ છે. અર્થાત્ સમકતના રસને પ્રાપ્ત કરવાવાળાને પીગલિક પદાર્થોમાં આનંદને અનુભવ ન થાય તે સ્વાભાવિક છે. ક્ષયે પશમ સમ્યકત્વમાં જીવને કયારેક કયારેક વ્યવહાર પ્રસંગમાં તે
*