________________
૧૪૬
જૈન દર્શનને કર્મવાદ મોહનીય (૫) આયુ (૬) નામ (૭) ગેત્ર અને (૮) અંતરાય.
મતિઆદિ પાંચ જ્ઞાનનું આવરણ કરવાના સ્વભાવવાળે કર્મપ્રદેશને જે જ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે.
ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને દશનાવરણય કર્મ કહેવાય છે.
સાંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળે કર્મ પ્રદેશને જ તે વેદનીય કર્મ કહેવાય છે.
આત્મામાં મેહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાનવવાળા કર્મપ્રદેશના જથ્થાને મેહનીય કર્મ કહેવાય છે.
અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કર્મપ્રદેશના જથ્થાને આયુષ્ય કર્મ કહેવાય છે.
આત્માને જુદા જુદા આકારો, નામે વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કર્મ પુદ્ગલેના જથ્થાને નામકર્મ કહેવાય છે.
પ્રાણિઓની જાતિઓમાં ઉચ્ચપણાનું તથા નીચ૫ણુનું પ્રેરક જે કર્મ છે, તેને ગેત્ર કર્મ કહેવાય છે.
- આત્માની દાનાદિ પાંચ લબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ કરવાના સ્વભાવવાળા કર્મ પુદગલના જથ્થાને અંતરાય કર્મ કહેવાય છે.