SearchBrowseAboutContactDonate
Page Preview
Page 134
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - r art - - તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૫ જૈન દર્શનની માન્યતાનુસાર જ્યાં સુધી એ બને તત્વે એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય, ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્વને અલગ પાડવાનું દિગ્દર્શન જ, જૈન દર્શનનું મુખ્ય પ્રયજન છે. દુઃખના મૂળરૂપ પુદ્ગલ તત્વને ઉલેખ યથાસ્થિતિ સ્વરૂપે, ભારતીય જૈનેતર દર્શનમાં જોવામાં નહિં આવતું હોવા છતાં, તેમને ઉદ્દેશ અને આચારવિચારે, આત્મામાંથી પુદ્ગલ તત્વના સંબંધને અલગ કરી, પુગલના સંબંધથી રહિત શાશ્વત સુખની પ્રાપ્તિ માટેના જ છે. જૈન દર્શનમાં તત્વ, દ્રવ્ય, સત, પદાર્થ, આદિ શબ્દોને પ્રાયઃ એક જ અર્થમાં પ્રયોગ થયેલ છે. આગમાં સત્ ” શબ્દોના પ્રાગ બહુ જ ઓછા છે. ત્યાં પ્રાયઃ દ્રવ્ય શબ્દોને જ પ્રવેગ છે. એ દ્રવ્યને જ તત્વ કહ્યું છે. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદ્ગલ, એ છ દ્રવ્ય (મૌલિક તો) જૈનદર્શન માને છે. આ છએ દ્રવ્ય સ્વતંત્ર છે. એક તત્વ બીજા તત્વરૂપે કદાપી થઈ જતું નથી. જીવ તે સ્વદેહ પ્રમાણ, જીવ અને પુદ્ગલને ગતિ તથા સ્થિતિમાં સહાયક અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્ત્વ, અને આકાશના વિષયમાં કાકાશ ઉપરાંત અલકાકાશ પણ હોવાની માન્યતા, એ જૈન દર્શનની વિશેષતા છે. કઈ કઈ દર્શનમાં પુદ્ગલ. તત્ત્વની સામાન્યપણે
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy