________________
*
- તત્વજ્ઞાન દ્વારા પદાર્થના ભૌતિક તત્ત્વની સમજ
૧૦૭ તત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં મોટો તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે, અને લાખે વિજ્ઞાને તેના પેટામાં સમાય છે. શોધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણુશેપ્યું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કોઈપણ એક સાયન્સ યા તે કઈ પણ એક વિષયના પદ્ધતિસર શાસ્ત્રને વિજ્ઞાન કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેત્તાઓને પુછીયે તે તેઓ કહે છે કે, અમને અમારા વિષયમાં બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનને પૂછે છે, તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ હજાર વર્ષ પ્રયત્ન કરી માનવ મનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડયું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક અમને માલુમ નથી. મોટા મોટા ચિકિત્સકો ના અનુભવને લાભ ઉઠાવીને તથા પોતાનું સમસ્ત આયુષ્ય તેજ વિષયની અનુભવ પ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહોંચે છે કે, અમને શરીરનું બહુજ ઓછું જ્ઞાન છે. કોઈને કોઈ રોગ એ આવી જાય છે કે, તેમના સર્વ જ્ઞાનને અજ્ઞાનમાં પરિવર્તન કરી દે છે. અને તે સમજે છે કે, જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને “શરીરવેત્તાઓ”— ને પણ પત્તો હોતે નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞાન શાસ્ત્રના પણ એજ હાલ છે. તે પછી કેવી રીતે કહી શકાય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે. જેઓ પોતાનું સમસ્ત આયુષ્ય જ્ઞાન વૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે,
r
ra
* * *
* *