SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ પુદ્ગલ વણાનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા બુદ્ધિગમ્ય નહીં હોવા છતાં પણ, વિજ્ઞાન પ્રત્યેના વિશ્વાસના આધારેજ દુનિયા સ્વીકારી લે છે, તે પછી જૈન શાસ્ત્રમાં અતાવેલ પુદ્ગલવણાઓના સ્ક, કે જે વિજ્ઞાનના સૂક્ષ્મ સ્કંધા કરતાં અનંતગુણુ સૂક્ષ્મ છે, તેની સૂક્ષ્મતામાં પણ શંકાને સ્થાન કેવી રીતે હાઈ શકે ? ૯૯ હવે 'ધ નિર્માણ અંગે વિચારતાં અનેક પરમાણુ પરસ્પર મળી કંધરૂપે બનવામાં કે સ્કધમાંથી વસ્તુનુ નિર્માણુ થવામાં, જૈન દનકારોએ તે નિર્માણ હેતુમાં પરમાણુઓના સ્નિગ્ધત્વ અને ઋક્ષત્વ સ્વભાવ દર્શાવ્યેા છે. જે આગળ વિસ્તૃત રીતે વિચારાઈ ગયું છે. અહી વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકોએ સ્ક ંધ નિર્માણમાં પદાના ઘનવિદ્યુત (પેાસીટીવ) અને ઋણુવિદ્યુત (નેગેટીવ) સ્વભાવને સ્વીકાર્યાં છે. આમાં શબ્દભેદથી જૈનદર્શનની અને વિજ્ઞાનની વાતને કદાચ એક જ સમજી લઈએ તે વાંધો નથી. વિજ્ઞાન કહે છે કે પરમાણુની અંદરના ભાગ પાલા હાવાથી તાડી શકાય છે. પરમાણુ તેાડવાથી બે ભાગમાં વહેંચાઈ જાય છે. ૧. નાભિ અને ૨. ઋણાણુ, આ પૈકી નાભિ તે અતિ ભારે અને ધનવિદ્યુતવાળા પરમાણુ વિભાગ છે. પરમાણુની નાભિ એકલ કણ નથી. પણ ધનાણુ (પ્રેાટેન) અને શુન્યાણુ (ન્યૂટન) મળીને બનેલી છે. હાઈડ્રોજનની નાભિમાં એક જ કણ છે, અને તે નાણુ (પ્રોટોન) છે. જા' તત્ત્વાની નાભિ ઘનાણુ અને શુન્યાણુના વિવિધ પ્રકારના મિલનથી બનેલી છે.
SR No.022670
Book TitleJain Darshanno Karmwad
Original Sutra AuthorN/A
AuthorKhubchand Keshavlal Parekh
PublisherLaherchand Amichand Shah
Publication Year1981
Total Pages500
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy