SearchBrowseAboutContactDonate
Page Preview
Page 216
Loading...
Download File
Download File
Page Text
________________ સર્ગ-૯ ૨૧૧ હાથિણીએ મસ્તક ઉપર પૂળાને લઈને જાણે પોતાનું ઘર હોય તેમ પૂર્વે જોયેલા એક તાપસના આશ્રમમાં ગઈ. ૮૮. ઘણી ભય વિનાની તેણીએ તાપસોને વંદન કર્યા. મુનિઓ કોને વિશ્વાસુ બનતા નથી? ૮૯. આ વરાકડી રક્ષણની અર્થી છે એમ જાણીને દયામાં તત્પર તાપસોએ કહ્યું : હે વત્સા ! તું કયાંયથી ભય ન પામ. અહીં શાંતિથી રહે કારણ કે તાપસો સ્વભાવથી કરુણાલુ હોય છે. શું ઈન્દ્ર પણ સમુદ્રમાં ડૂબેલા પર્વતોને કંઈ કરે? ૯૧. પિતાના ઘરની જેમ નિર્ભયપણે જેમ લોક સજ્જનની પાસે જાત્ય રત્ન મૂકીને દેશાંતર જાય તેમ આશ્રમમાં રહેતી તેણીએ હર્ષથી સુખે સુખે હાથી બચ્ચાને જન્મ આપ્યો. ૨. જેમ લોક સજ્જનની પાસે જાત્યરત્ન મૂકીને દેશાંતર જાય તેમ પુત્રને તાપસના આશ્રમમાં પાસે મૂકીને તે વનમાં ગઈ. ૯૩. હાથિણી પણ વચ્ચે વચ્ચે આશ્રમમાં આવીને પુત્રને સ્તનપાન કરાવી જતી. માતાઓને સમુદ્ર જેવો પત્ર સ્નેહ દુસ્તર છે. ૯૪. જેમ એકેક દાણાથી પક્ષીઓ દરરોજ પોતાના માળામાં રહેલા બચ્ચાનું પોષણ કરે છે તેમ મધુર-કોમળ- સલ્લકીના પાંદડાથી તથા સુપકવ નીવારના પૂળાઓથી તાપસોએ કલભહાથીનું પોષણ કર્યું. ૯૬. તાપસો વડે પુત્રની જેમ વાત્સલ્યપૂર્વક પાલન કરાતો હાથી જાણે તેઓનો જ સાક્ષાત્ અપાય હોય તેમ મોટો થયો. ૯૭. હર્ષિત થયેલા હાથીએ નિકુમારોની સાથે ક્રિીડા કરી. કીડામાં સંવાસ એ જ કારણ છે પણ જાતિ કારણ નથી. ૯૮. તાપસોએ પાણીના પૂરથી દરરોજ પોતાના પુત્રોની જેમ સ્વયં વાવેલા પ્રિય વૃક્ષોનું સિંચન કર્યુ. ૯૯. તાપસોને સિંચન કરતા જોઈને હાથીના બચ્ચાએ પણ સૂંઢથી પાણીના પૂરને ભરી ભરીને હંમેશા સિંચન કર્યુ. ૩૦૦. તાપસોએ પ્રીતિથી દરરોજ પાણીથી સિંચન કરાતા હાથીનું સેચનક યથાર્થ નામ રાખ્યું. ૩૦૧. તે યુવાન વયને પામ્યો ત્યારે ઘણો મદે ભરાયો. કોણ પુરષ એવો છે જે યૌવનલક્ષ્મીને પામીને મદ ન કરે? ૩૦૨. યથારુચિ ભમતો આ ગંગાના કાંઠે પહોંચ્યો. પાંખ આવ્યા પછી પક્ષીઓ જ્યાં સુધી માળામાં રહે? ૩૦૩. તે વખતે તેનો પિતા પણ કયાંયથી આવી ગયો. ૪. કોપના આવેશથી ભરાયેલ સેચનક હાથી પ્રલયકાળના વાદળની જેમ ગર્જના કરતો જલદીથી પિતા તરફ દોડ્યો. ૫. વૃદ્ધ થયેલ પણ યૂથપતિ યુદ્ધ કરવા માટે સંમુખ થયો. વિષ વિનાના સાપને પણ પગ લાગી જાય તો ફણા ચડાવે છે. ૬. ક્રોધી અને માની તે બંને પરસ્પર યુદ્ધે ચડ્યા જાણે સાક્ષાત્ પહેલો અને બીજો માન ન હોય! (અનંતાનુબંધી માન અને અપ્રત્યાખ્યાની માન) ૭. તેઓના દાંતના સંઘટ્ટાથી ઉત્પન્ન થયેલા અગ્નિના તણખાં શોભ્યાં. હું માનું છું કે તે પૃથ્વી દ્રવ્યના વર્ગણાના પરમાણુઓ છે. ૮. આ બંનેની સૂંઢ પરસ્પર એકબીજામાં ભરાવાથી રચાયેલ નાગબંધ શોભ્યો. ૯. શું અંજનગિરિ અને કૈલાસ પર્વત ન હોય તેમ આકાશમાં ઉછળતા કાળા અને સફેદ પિતાપુત્ર બંને હાથીઓએ યુદ્ધ કર્યું. ૧૦. આ પોતાના સંતાનોને હણનારો મહાપાપી છે મનમાં લાવીને સેચનકે પિતા યૂથપતિને ક્ષણથી મારી નાખ્યો. ૧૧. સર્વ યૂથ સેચનકને શરણે આવ્યું. સતત ઈચ્છા મુજબનું સ્વામિત્વ કોને ન ગમે? ૧૨. હાથિણીઓ પણ આના ઉપર અનુરાગી થઈ. જેનો ઘણો ઉદય થાય છે તે જ ભૂમિ ઉપર વંદાય છે. ૧૩. ત્યારે દુર્બુદ્ધિ સેચનકે હૃદયમાં વિચાર્યુંઃ માતાએ બાલ્યાવસ્થામાં તાપસના આશ્રમમાં મારું રક્ષણ કર્યું. જીવી જવાથી મેં મારા પિતાને મારી નાખ્યા. તેમ મારા પુત્રો મોટા થઈને મને મારી નાખશે તો? ૧૫ એમ વહેમમાં પડેલા તેણે વિચાર્યું કે આશ્રમને ભાંગીને હું મારું કલ્યાણ કરું. (સલામત બનું.) અથવા તો બીજાનું ખાઈને પોતાનું બચાવાય છે. ૧૬. જેમ અનંતાનુબંધિ ક્રોધ જન્મથી માંડીને કરેલા ધર્મને ભાંગી નાખે તેમ જલદીથી જઈને સેચનકે તાપસના આશ્રમને ભાંગી નાખ્યો. ૧૭. જેમ વાયુ રેતી ઉડાળી ઉડાળીને સપાટ રણ કરી નાખે તેમ હાથીએ વૃક્ષોને ઉખેડી ઉખેડીને નામ નિશાન ન મળે તે રીતે તાપસના
SR No.022669
Book TitleAbhaykumar Charitra
Original Sutra AuthorN/A
AuthorSumtishekharvijay
PublisherGovardhannagar Vinanagar S M P Jain Sangh
Publication Year2014
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy