SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૦ ]. પ્રાકૃત વિજ્ઞાન કથાઓ જઈ આચાર્યશ્રીને વંદન કરી બેસીને ધમકથા સાંભળે છે. હે ભવ્ય છે! મઘ, વિષય, કષાય, નિદ્રા, વિકથા વગેરે પ્રમાદને ત્યાગ કરે અને આ લેકમાં વિજય, લક્ષ્મી તથા ઈષ્ટસુખ આપનાર તથા અનિષ્ટને હણનાર તેમજ ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થમાં સારભૂત એવા ધર્મ પુરુષાર્થમાં આ લેક અને પરલોકમાં હિતને માટે સારી રીતે ઉદ્યમ કરે જોઈએ. તેમજ કેઈક ભયંકર ઝેરને પચાવી જાણે અથવા અગ્નિ સાથે રમવા માટે સમર્થ થાય તે પણ સંસારરૂપી કારાગારમાં રહેલા જીએ પ્રમાદ ન કરે જોઈએ. કારણ કે વિષ કે અગ્નિનું સેવન કર્યું હોય તે તે જ જન્મમાં મનુષ્યને હણે છે. પરંતુ પ્રમાદ સેંકડો જોને હણે છે. તેથી દેશવિરતિ અને સર્વવિરતિ ધર્મના મૂળભૂત સમ્યગ્દર્શનની શુદ્ધિમાં હંમેશા ઉદ્યમ કરવો જોઈએ. આજ સમ્યગ્દર્શન તે ધર્મ રૂપી વૃક્ષનું મૂલ અને ધર્મરૂપી નગરનું દ્વાર છે તથા નિર્વાણ પ્રાસાદની પીઠિકા અને સર્વ સંપદાનું વિધાન છે. જેમ રત્નના આધાર સાગર છે, તેમ ગુણેને આધાર અને ચારિત્ર ધર્મનું પાત્ર આવું સમ્યગ્દર્શન કોના વડે વખણાય નહિં? તેથી હે ભવ્ય છે ! પ્રમાદરૂપી મદિરાને ત્યાગ કરી શિવ સુખને આપનાર તેમજ દુષ્ટ કર્મને નાશ કરનાર શુદ્ધ શ્રાવક ધર્મને ગ્રહણ કરે. અન્ય દર્શનને પામેલા એવા જે પુરૂષોને મરણ સમયે સમ્યગદર્શનની આરાધનામાં રાગ થાય છે, તેઓ પણ સંસારસાગરને તરી મેક્ષ સુખને પામે છે. એ પ્રમાણે કહી તે ગણધર ભગવંત ચંદ્રલેખાને
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy