SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ ચન્દ્રલેખાની કથા : ૬૮ [ ૭૭ પણ કહે છે. હે પુત્રિ ! તું તારા મનમાં ફેગટ બીજા વિચાર ન કર. કારણ કે મેં આ રાજાનું પિતાની શકિતથી દિવ્ય શરીર બનાવ્યું છે, તેથી અહિં આવેલ છે. તેનું તમારે ગૌરવ, સન્માન કરવું જોઈએ. જેના ઉપર હું પ્રસન્ન થઈ તેને કંઈ પણ દુર્લભ નથી, તેથી તમે મારા વચનથી પિતાના ભાજનમાં આ મારા શિષ્યને આ જન્મમાં પૂર્વે નહિં ખાધેલી દિવ્ય રસોઈ જમાડે. જોગણ પણ રાજાને કહે છે-હે વત્સ ! તુ આવ. નાગરમણીની સાથે દિવ્ય આ રસવતીને ખા. રાજા એઠા ભેજન જાણતા છતાં ખાતે પિતાના આત્માને ધન્ય માને છે. અથવા જગતમાં સ્ત્રીઓ વડે કરો માણસ છેતરાયે નથી? તે વખતે કઈ કન્યાએ બીજી વાનગીઓ પણ આપે છે. અને કઈક જોગિનીના વચનથી હસીને તેની સાથે જમે છે. ત્યાર પછી તે ગણ સુગંધથી યુકત તંબેલ અપાવીને કહે છે. હે પુત્ર! ઉઠીને રત્નમય આ નગરમણીનું ભવન જે, તે વખતે તે શ્રેષ્ઠ કન્યાઓ વડે વર્ક વચનોથી સ્થાને સ્થાને હસાતે તે રાજા સુખપૂર્વક દિવસ પસાર કરે છે. રાત્રી સમય થયે છતે નાટક વગેરેને વ્યવસાય બંધ થયે સજા હાથ જોડીને જેગણની આગળ આ પ્રમાણે પ્રાર્થના કરે છે. હે સ્વામિનિ ! પ્રસન્ન થયેલા તમે સાચા ક૫વલ્લી જેવા છે તે આ અપ્સરાઓની મધ્યમાંથી રમવા માટે કોઈ પણ અપ્સરા મને આપે. જેગણ રાજાને કહે છે જે અપ્સરાઓ મનુષ્યમાં આસકત થાય તે દેવકુમાર ક્ષણવારમાં તેઓને ત્યાગ કરે છે, પરંતુ હું મારા વિદ્યાના
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy