SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ ] પ્રાકૃત વિજ્ઞાન કથાઓ છતે નરક અને તિર્યંચના દ્વાર બંધ થઈ જાય છે. વળી જે સમ્યકત્વથી પતિત ન થયા હોય અને પહેલા આયુબ્ધ ન બાંધ્યું હોય તે સમ્યકત્વના પ્રભાવથી નરક તિર્યંચ ના દ્વાર બંધ થઈ જાય છે. એટલે તેમાં ઉત્પન્ન થતાં નથી. એણે દેવપણામાં સમ્યકત્વ વમી તિર્યંચાયુ બાંધ્યું છે. ઈન્દ્ર પુછયું, હે ભગવંત! હવે કેવી રીતે આ સિદ્ધિ પદને પામશે. ભગવંતે કહ્યું, અહિંથી આ વનમાં પોતાના સ્થાને જેતે હૃદયમાં વિચાર કરશે કે આ સંસાર દુઃખે કરીને પાર પામી શકાય એવું છે. અને નિયાણશલ્ય પણ સારું નથી, આ ઉંદનિ અધમ છે, જિનેશ્વરને માર્ગ દુર્લભ છે, તેથી અહિં નવકાર સહિત મરીને જ્યાં સર્વ વિરતિ ચારિત્ર પામું, ત્યાં ઉત્પન્ન થઉં આ શ્રેષ્ઠ છે. એ પ્રમાણે વિચાર કરતા બીલના એક ભાગમાં આહાર પાણીના ત્યાગરૂપ અનશન કરી, મારા વચનને વિચારો અને નવકારમંત્રના ધ્યાનમાં તત્પર થશે. ત્યાં પણ અનુકૂળ ઉપસર્ગ વડે જંગલના ઉંદરની સુંદરીઓથી ભ ન પામતે તે અત્યંત દુઃખ આપનાર ભેગે વડે સર્યું. હે જીવ! હવે તું આહાર પણ ત્યાગ કરી સંસાર સમુદ્રને પાર પામ. એ પ્રમાણે વિચાર કરતે થકે તેને સામું જ નથી. હુદયમાં જિનેશ્વરનું ધ્યાન ધરે ત્રીજે દિવસે સુધાથી સુકાઈ ગયેલા શરીરવાળે મરીને મિથિલાનગરીમાં મિથિલાના રાજાની ચિત્રા નામની મહારાણીની કુક્ષિમાં ગર્ભ પણે ઉત્પન થશે. તે ગર્ભમાં આવે છતે તે દેવીને સર્વજી ઉપર મૈત્રી ભાવ થશે, તેથી જન્મપામેલા બાળકનું નામ
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy