SearchBrowseAboutContactDonate
Page Preview
Page 152
Loading...
Download File
Download File
Page Text
________________ વરદત્તની કથા : ૮૫ [ ૧૩૭ ઉપચારો કર્યા છતાં પણ ગુણ થયો નહીં અને તેની સ્ત્રી મરણ પામી. ધન્ય શેઠ રડવા લાગ્યો. લેકેએ કહ્યું કે સ્ત્રી મરી ગયે છતે કાયર પુરૂષ જ રૂવે છે. પરંતુ સત્વશીલ અને સાહસિક પુરુષ તે નથી તેથી કમે કરી તે શંકરહિત થયો. તેની સ્ત્રી મરીને વાઘપણે ઉત્પન્ન થઈ અને ધન્ય શેઠ સંયમ ગ્રહણ કરી દુષ્કર તપ કરતાં વિચરતાં એક વખતે તે વનમાં કાઉસ ધ્યાને રહ્યા છે. ત્યાં પૂર્વભવના વૈરથી તે વાઘે તેને મારી નાખ્યો. સમભાવથી સહન કરતા તે ઋષિ અશ્રુત દેવલોકમાં દેવ થયા. અને વાઘ મરી ચોથી નરકમાં ઉત્પન્ન થયું. તે ધન્ય શેઠનો જીવ સ્વર્ગમાંથી વી, ચંપાનગરીમાં દત્ત શેઠને વરદત્ત નામે પુત્ર થયે. કેમે કરી તેણે સકલ કળાને અભ્યાસ કર્યો. અભ્યાસથી તે બાળપણમાં જ વૈરાગ્યવાળો થયો, સમ્યગ દર્શન સહિત શ્રાવકના વ્રતે ગ્રહણ કરી, તે દાની અને વિવેકવાળે થયે. સુંદરીને જીવ નરકમાંથી નીકળી અનેક ભવમાં ભમતે ક્રમે વદત્તના ઘરમાં કામુક નામની દાસીને પુત્ર થયો. છેતરવાના સ્વભાવવાળો તે “દાસીપુત્ર” એ નામથી ત્યાં પ્રસિધિને પામે. પૂર્વભવના દેષથી તે વરદત્તને શત્રુની જેમ માને છે. પિતા મરી ગયા પછી વરદત્ત ઘરને સ્વામી થયે અને તે દાસીપુત્રને પિતાના ભાઈ જે માને છે. દાસીપુત્ર વરદત્તના ચિત્તની પ્રસન્નતા માટે ભાવ વિના ધર્મ કરે છે. તેને ધમી જાણ વરદત્ત કહે છે “આ મારે ભાઈ છે” લેકેમાં પણ તે તેના ભાઈ તરીકે જ પ્રસિધિને પામ્યા. તે દાસીપુત્ર ક્રમે કરી વરદત્તને
SR No.022651
Book TitlePaia Vinnana Kaha Part 02
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1973
Total Pages316
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy