SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ઉષ્મના પ્રાનપણામાં એ શ્રેષ્ઠ વિદ્વાનાની કથા સહિત રાજાની સમક્ષ મૂકે છે. રાજા વિચારે છે પરમાર્થથી આમાં સત્ય શું છે ? અને તે કેમ જાણી શકાય ? ત્યારે નિય કરવા અસમર્થ તે કાલિદાસ પ'ડિતને પૂછે છે “ આના ન્યાય મ કરાય? અથવા શું ઉત્તર આપી શકાય ? '' કાળીદાસ કહે છે “હે રાજન! જેમ દ્રાક્ષના રસ ચાખવામાં આવે તે મધુર અથવા ખાટે જાણી શકાય તેમજ આના વિવાદ કસી જોઈએ તેથી સત્ય અથવા અસત્ય જણાય.” રાજા કહે છે “ કસવામાં કાઈ પણુ ઉપાય છે ? જો હાય તા કસા.' ત્યારે કાળીદાસે તે બન્ને વિદ્વાનાને ખેાલાવીને તેમની આંખા ઉપર વસ્ત્ર બાંધીને, અને બન્ને હાથ પીઠની પાછળ બાંધીને પગને પણ મજદ્યુત બાંધીને અધારા ઓરડામાં તે બન્નેને મૂકયા અને કહ્યું “ જે નિયતિવાદી હાય તે નસીબથી છૂટે. જે ઉદ્યમવાદી હોય તે પુરૂષાથી છૂટે. એમ કહીને કાળીદાસ પાછા ફર્યા. ત્યારે જે પેલા નશીબવાદી હતા તે “ જે ભાવિમાં હશે તે થશે '' એમ માનતા ચિંતા રહિત થયા છતા સુખેથી ત્યાં સુતા. જે ઉદ્યમવાદી હતા તે છૂટવાને ઘણી મહેનત કરે છે. હાથ અને પગને જમીન ઉપર આમ તેમ ધસે છે પરંતુ મજબ્રુત બંધન હાવાથી જ્યારે તે ન છૂટયા ત્યારે તેને નશીબવાદી વિદ્વાન કહે છે “ ફોગટ ઉદ્યમ કરવાથી શું ? આ ગાઢ બંધન કાઈ રીતે પણ છૂટશે નહિ. નિરક બળને નાશ કરનાર પ્રયત્ન વડે શું? ભૂખ અને તરસથી પીડા પામેલ આપણને ભાગ્યનું શરણુ એ જ સારુ છે. એમ સાંભળીને પણ ઉદ્યમવાદી પડિત છૂટવાના પ્રયાસ મૂકતા નથી. છૂટવાને માટે ઘણી મહેનત કરે છે. એ પ્રમાણે તેમના એ દિવસેા પસાર થયા. ભોજનના અભાવે તેનું શરીર પણ ધણુ ક્ષીણુ થઈ ગયુ કામ કરવામાં પણુ અશક્ત થયું. તા પણુ ઉદ્યમવાદી અંધારા ઓરડામાં આમ તેમ ભમતા બંધનથી છૂટવાના યત્ન છેાડતા નથી. નિયતિવાદી તેને કહે છે “ હવે ઈશ્વરનું નામ લેા, ફૂલરહિત મહેનત કરવાથી લાભ શું ? ત્યારે તે ઉદ્યમવાદી કહે છે. મરણ આવ્યે તે
SR No.022650
Book TitlePaia Vinnana Kaha Part 01
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyanmandir
Publication Year1976
Total Pages254
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy