SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ પર આ ગ્રંથ આ સંસ્થા તરફથી છપાઈ બહાર પડી ચૂક્યો છે. તે વાંચવાથી જ તેની હકીકત વાંચકો જાણી શકશે. એટલે અહીં તેની સમાલોચના આપતા નથી. નંબર ત્રીજો પૂનામાં ફેંક્કન કૉલેજના ભંડારમાં કે ભાંડારકરના ગ્રંથ સંગ્રહાલયમાં પ્રાપ્ય છે. નંબર ચોથો પ્રાસ પાસે આવેલ શ્રી રંગમાં વાણીવિલાસ પ્રેસમાં છપાયેલ તિલકમંજરી છે. પ્રથમ તો તે અભિનવ બાણકૃષ્ણમાચાર્યના આધિપત્ય અને તંત્રીપણા નીચે નીકળતાં ‘સયા' માસિકમાં ક્રમશ: પ્રગટ થતી હતી અને પાછળથી અખંડ પુસ્તકાકારે પણ બે રૂપિયાની કિંમતે મળતી હતી. તિલકમંજરી ગ્રંથ અક્ષરે અક્ષર લેવામાં નથી આવ્યો. પણ કેટલાક વર્ણનો છોડી દઈ કથાભાગ સંસ્કૃત એના એ શબ્દોમાં ગદ્યબદ્ધ છે. જેમને જરૂર હોય તેઓએ તે સ્થળે તપાસ કરાવવી. આ ગ્રંથકાર આવા સમર્થ છતાં હાલ સર્વત્ર પ્રસિદ્ધ કેમ નથી એવી શંકા કદાચ થશે. ઉપરના ઉદ્ધારો અને ટીકાઓ ઉપરથી, તેમજ હેમચંદ્રાચાર્ય અને યશોવિજયજી જેવા સમર્થ જૈન વિદ્વાનોએ, પુરુષાકારના કર્તાએ તેમજ બીજાઓએ પણ કેટલેક સ્થળે પોતપોતાના ગ્રંથમાં તેમના ગ્રંથના ફકરા ટાંક્યા છે. (વિસ્તાર ભયથી અહીં આપ્યા નથી.) તે પરથી તેની પ્રસિદ્ધિનો ખ્યાલ આવી શકશે. ગુજરાતના સાહિત્યમાં જૈનોએ અનેક જાતનો વધારો કર્યો છે. અનેક પુસ્તક ભાંડાગારો મોજુદ છે. છતાં ધર્મભેદને લીધે જ ગુજરાતના સાક્ષરો તે તરફ દૃષ્ટિપાત કરતા નથી. ગુજરાત વર્નાક્યુલર સોસાયટી કે તેવાં બીજાં સાર્વજનિક ખાતાંઓ જૈનોની ખાસ મદદથી સ્થપાયાં હોય છતાં તેમાં લગભગ બસો ઉપરાંત સંખ્યામાં ગ્રંથો બહાર પડ્યા
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy