________________
V
તિલકમંજરી પર ટીકા ટીપ્પણ કે ઉદ્ધાર
એક
૧. ટીપ્પણ—તિલકમંજરી ૫૨ પૂર્ણ તલગચ્છીય લઘુ ટીપ્પણ છે. દુર્બોધ સ્થળોનું સ્પષ્ટીકરણ સારું કરે છે અને તે ઘણું જ ઉપયોગી છે. તેની પ્રતો અમદાવાદ, પાટણના ભંડારોમાં મળી આવે છે.
૨. ટીકા–પદ્મસાગર અભિકૃત એક વિસ્તૃત ટીકા પણ ઉપલબ્ધ થાય છે. લગભગ આઠ કે નવ હજાર શ્લોક પ્રમાણ ગ્રંથ છે. કઈક અશુદ્ધ વધારે જણાય છે. તેની મૂળ પ્રતિ શ્રી હંસવિજયજી મહારાજ પાસે છે અને ઉતારો અમારી પાસે છે. એવું માનવામાં આવે છે કે, આ ટીકા કરતાં ઉપરનું ટીપ્પણ વધારે વજનવાળું છે.
તિલકમંજરીના ઉદ્ધાર ચાર મળે છે.
૧. દિગંબર પંડિત ધનપાળ કૃત તિલકમંજરી કથાસાર ૨. શ્વેતાંબર પંડિત લક્ષ્મીધર કૃત તિલકમંજરી કથાસાર ૩. પદ્મસાગર ગણીકૃત તિલકમંજરી કથાસાર ૪. શ્રીરગમાં છપાયેલ તિલકમંજરી (........)
આમનો પહેલો સાર ૨૬૧માં કાર્તિક માસમાં બનાવ્યો છે. કર્તા પલ્લિપાળ ધનપાળ અણહિલપર પાટણના વતની દિગંબર જૈન વણિક છે. તિલકમંજરી કાર ધનપાળ શ્વેતામ્બર સંપ્રદાયને માન આપનાર છે. સાર કર્તા ધનપાળ દિગંબરી છતાં સાર રચવા માટે તૈયાર થયા તેમાં કવિ ધનપાળની આકર્ષક શક્તિ છે. આ સારની રચના બીજા નંબરના સાર કરતાં કેટલેક અંશે ઉત્તમ છે. તેમાં પ્રકરણો પાડેલા છે. (આત્માનંદ પ્રકાશ ૧૯૭૨ મધ)
નંબર બીજો શ્વેતામ્બર પંડિત લક્ષ્મીધરે ૧૨૮૧માં રચ્યો છે.