________________
ગુરુ ગુણ અમૃત ઘુંટડા
જેઓ : સંસારીપણે લંડનની ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં સી.એ. ની સમકક્ષ બેકીંગની પરીક્ષામાં ફર્સ્ટ ક્લાસ આવેલ હતા.
જેઓ : ભરયુવાનવયમાં દીક્ષિત બન્યા હતા. જેઓ : પ. પૂ. ગુરુદેવશ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. ના સાનિધ્યમાં જીવનભર, રહેવા દ્વારા ‘આજીવન અંતેવાસી' બન્યા હતા. તેઓની અપ્રમત્તભાવે સેવા કરી અને તેઓના ‘પરમકૃપાપાત્ર' બન્યા હતા. જેઓ : વર્ધમાન તપની ૧૦૮ ઓળી કરવા દ્વારા ‘વર્ધમાન તપોનિધિ'
બન્યા હતા.
જેઓ : ન્યાયદર્શનનો ઊંડો અભ્યાસ કરી ‘ન્યાયવિશારદ’ બન્યા હતા.
જેઓ : ન્યાય
વ્યાકરણ
કર્મગ્રંથો યોગગ્રંથો
આગમગ્રંથો
સાહિત્યગ્રંથોના તલસ્પર્શી અભ્યાસ કરી ‘મહાવિદ્વાન્' બન્યા હતા. જેઓ : ષડ્દર્શનના સાંગોપાંગ ખેડાણથી ‘તર્કસમ્રાટ’ બન્યા હતા. જેઓ : ૪૫ આગમ ગ્રંથોના સંપૂર્ણ અધ્યયન દ્વારા ‘આગમજ્ઞ’ બન્યા. જેઓ : વિદ્વાન - સંયમી - આચારસંપન્ન એવા અંદાજીત ૨૫૦ શિષ્યોના પરમતા૨ક ગુરુદેવ અને વિજયપ્રેમસૂરિ સમુદાયના મહાન ગચ્છાધિપતિ બન્યા હતા.
1
-
-
જેઓ : બેજોડ વિદ્વાન હોવાની સાથે ‘પરમગીતાર્થ' હતા.
:
જેઓ : અનેક અંજનશલાકાઓ પ્રતિષ્ઠાઓ છ'રી પાલિત સંઘો. ઉપધાનો - દીક્ષાઓ - ઊજમણાઓ વિગેરે શાસનના કાર્યો કરાવવા દ્વારા ‘પરમ શાસનપ્રભાવક' બન્યા હતા.
-
જેઓ : શાસ્ત્રશુદ્ધ અને વૈરાગ્ય નીતરતી દેશના દ્વારા ભારતભરના સંઘો અને લોકહૃદયના આસ્થાકેન્દ્ર બન્યા હતા.
જેઓ : પૂ. પ્રેમસૂરિના અંતર આશિષથી પ્રારંભાયેલ યુવાનોની કાયાપલટ કરતી ‘યુવા શિબિર’ના ‘આદ્ય પ્રણેતા' હતા. જેઓ : પરમાત્માના ‘પરમ ભક્ત' હતા.
જેઓ : ચુસ્ત ‘આચાર સંપન્ન' હતા. જેઓ : નિર્દોષ જીવનચર્યાના આગ્રહી હતા.
જેઓ : ૪૦ | ૪૦ વર્ષથી ચાલતા ‘દિવ્યદર્શન' પાક્ષિકના માધ્યમે શુદ્ધ સાત્વિક શાસ્ત્રશુદ્ધ મોક્ષૈકલક્ષી તાત્ત્વિક સાહિત્યના રસથાળ પીરસવા દ્વારા સકળ જૈન સંઘના ‘મહા ઉપકારક' બન્યા હતા.