________________
૨૫૪
પુરંદરિકા ! સહી શકાય એવા સુગંધી ઉના પાણીથી દેવીને હાવાની વાવ ભરી દે.”
“મંરિકા ! ચંદનની રાખથી આરિસાભવન માંજી નાખ.”
“અનંગવતિ ! કામ મંદિરનું બુદ્ધિકર્મ તૈયાર કર. બપોરનો વખત થવા આવ્યો છે. જાતે જઈને આજ સવારે જ કોઈ મહાન રાજકુમારને દેવી તેડી લાવ્યા છે, જો તે આવે. શું તું નથી જોતી ?”
તિલકમંજરી ઉભી થઈ તેની બન્ને બાજુએ ચામર વીંજાતા હતા. અનેક દાસીઓ રસોડામાંથી અનેક પ્રકારની ઉત્તમોત્તમ રસોઈની વાનીઓ લાવી લાવીને મુકતી હતી. આ બધું જોઈ આગળ ચાલતાં સ્વચ્છ જળ કુટ્રિમોમાં ચાલતાં અટકી પડતી, આંગણામાં કરેલી વિલાસ દીર્થિકા (વાવો) પર નિઃશંકપણે પગ મૂકતી, પટ્ટ શાળાઓમાં પડદા ખોલતી, વૈર્યના બાર સાખવાળા બરણાઓમાં તેજથી અંજાઈ જતી ફાટિકના થાંભલાઓમાં મસ્તકે કુટાતી, આંગણાઓમાં કપાળે ચત્તો હાથ મૂકીને ચાલતી પારાગમણીના મકાનોમાં લાલ પ્રકાશથી છત્રની કોર સાથે અફળાતી, ઈદ્રનીલમણીના મકાનોમાં અંધકારથી ગુંગળાઈ જતી, સ્વચ્છ મણીની ભીંતને અરીસાની ભીંતોમાં ચિતરેલા પૂજ્યને સાચા સમજી વિનયથી પ્રણામ કરતી, જાણીતા છતાં અજાણ્યા માફક વર્તતી પ્રતિહારીઓએ બતાવેલા માર્ગે હું ભોજન મંડપમાં
ગયો.”
ત્યાં મણિમય બાજોઠપર બેઠો, તિલકમંજરીએ મોકલેલી દાસીઓએ એકદમ આવી ચરણ પ્રક્ષાલન વગેરે ઉચિત ક્રિયા કરી લીધી. જરા બાજુએ પણ સામે જ પાટલો નાખીને બેઠેલી