SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૦ લાગી ને મારા ખોળામાં માથું મૂકી ખુબ રોઈ. હું મહેલમાંથી નીકળી, બગીચામાં આવી, ગળે ફાંસો ખાધો. મે અને એણે દુઃખ અનુભવ્યું, તે બધાં દારૂણ દુઃખો સંભાર્યા, તેમજ નાનપણમાં અમારા સહીપણા, અમારી રમત ગમત, અમારા વિનોદો, વગેરે વગેરે સંભારી સંભારી પુસ્કે ડ્રુસ્કે ખુબ રોઈ. પાણી લાવી મ્હોં ધોઈ છેડા વતી લૂછી નાંખી મારી પાસે બેઠી.શાંત થઈ થોડી વારે બોલી વ્હેન ! જરા સાંભળ- જો આ મહાભાગ્યશાળી રાજકુમાર, એણે જ તને આજ જીવનદાન આપ્યું છે. જો એ તે મંદિરમાં ન હોત, મારું આક્રંદ સાંભળી પરિશ્રમની દરકાર રાખી અહીં આવ્યા ન હોત, કુદકો મારી તલવારથી ફાંસો કાપી નાંખ્યોં ન હોત, ભોંય પર પડતી તને ઝીલી ન લીધી હોત, ઝીલીને આ વાવને કિનારે ન લાવ્યા હોત, તો તારા પ્રાણ કેમ બચી શકત ? તેથી આ રાજકુમાર તારા ઉપકારી છે. વળી તારા એકના જ ઉપકારી છે એટલું જ નહીં પણ તારા કુટુંબ પ૨ તેણે મહાન ઉપકાર કર્યો છે. ઘેર આવેલ માન્ય પુરૂષને આપવા યોગ્ય સન્માન તું એમને આપીશ તો તે તારે માટે ખાસ ઉચિત છે. ને તારે તેમ કરવું જોઈએ.'' એમ કહી મારે ગળે હાથ મુકી મને પ્રણામ કરાવ્યો. તે વખતે મારી આંખ શરમથી સંકોચાતી હતી અને છુપૂં હાસ્ય કરતી હતી. પેલા રાજકુમારે પણ જરા સામે પ્રણામ કર્યો. ને, જરા મુખ ત્રાંસુ કરી કહ્યું “બંધુસુંદરી ! દિવસે દિવસે વધતા જતા સૌજન્યને લીધે ખરેખર તું બહુ જ મીઠાબોલી છો. તેથી જ આજ્ઞા કરવાલાયક
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy