________________
૧૮૯ તેના ખોળામાં સુતી સુતી ત્રિભુવનની સ્ત્રીઓને તૃણ સમાન લેખવા લાગી.
તેના શરીરની સુકુમારતા હૃદયમાંથી મજ્જામાં રહેલી ઉષ્ણતાને પણ ચોરી લેતી હતી. ઈદ્રિયોમાં સુષુપ્તિ દાખલ કરતી હતી. ચંદનનો જાણે લેપ કરતી હતી, અંતઃકરણનું આવરણ દૂર ખસેડતી હોયની, સર્વ શરીરના અવયવોને જાણે ક્ષીરસાગરમાં ઝબોળતી હોયની, શરદઋતુના ચંદ્રની જ્યોત્સના સાથે શરીરને પરિણાવી દેતી હોયની, સકળ પ્રાણીઓનાં સુખો એકઠાં કરી અર્પણ કરતી હોયની. સુધારસનો સાર, ને શંકરની જટાની શશીકળાનું સત્વ લઈ બ્રહ્માએ બનાવેલ, સમુદ્રમાં પડી તોયે નહીં અનુભવે, “ફરીથી બાપડીને આવો સ્પર્શ મળશે નહીં.” એમ જાણી દયાળુ ભગવાન કામદેવે તત્કાળ ઘણો જ સ્વાદિષ્ઠ બનાવેલ તેના અંગસ્પર્શની લેવાઈ ગયેલી હું રોમાંચને નકામો આડે આવનાર માનતી હતી, શરીરના અંગરાગની નિંદા કરતી હતી, ઘરેણાની કાંતિને ઈર્ષાથી જોતી હતી, ખસી જતા સ્તનાશક, અને અધોવસ્ત્રને પકડી રાખતા પરસેવાને વિધ્વરૂપ માનતી હતી. અર્ધા શરીરે પ્રિયસંગવાળી પાર્વતીને પણ હસતી હું તરત જ ક્ષોભ પામી.
મને વિચિત્ર અવસ્થામાં જોઈ બિચારી બંધુસુંદરી બોલી
“હેન ! વળી પાછી તું અસ્વસ્થ કેમ થઈ ગઈ ? તને શું થાય છે ?” આમ ધ્રુજતી ધ્રુજતી વારંવાર ગળગળી થઈ પુછતી હતી. પછી હું ઉભી થઈ રાજકુમારની પાસે કરેલી કમળના પાંદડાની પથારીમાં બેઠી.
બીચારી બંધુસુંદરીએ પોક મૂકી, દડદડ આંસુઓ પાડવા