SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ વેતાળ અને રાજલક્ષ્મીનું આવવું વગેરે આપનો વૃત્તાંત ત્યાં કહી સંભળાવ્યો. એ સાંભળી કંઈક તે ઠંડો પડ્યો, ને લડાઈમાં થયેલી હારને લીધે પોતાની જાત ઉપર કંટાળો આવ્યો હતો, તે પણ હવે ઓછો થયો. ને પૂછવા લાગ્યો દંડાધિપ ! તમારી ભલમનસાઈએ હવે હદ વાળી ! ખરેખર તમે મારું મન વશ કરી લીધું છે. દક્ષિણ દિશાના રાજ્યોમાં પોતાની ધાક બેસાડનાર તમે સભા સમક્ષ તમારી લઘુતા અને બીજાની પ્રભુતા ગાઈ રહ્યા છો, તેવું નિઃસ્પૃહ મુનિ પણ ન કરી શકે. તમે તમારા મોટા મનને લીધે જગતને વશ કર્યું છે, એમ નથી. તે મહાનુભાવ મહારાજ મેઘવાહનની મઘવા (ઈદ્ર) વગેરે દેવ પણ શા માટે સ્તુતિ ન કરે ? જેના મુખ્ય મુખ્ય હોદેદારો પણ તમારા જેવા છે. ઉચિત હો કે અનુચિત હો પણ તમારું વચન માન્ય કરવું એ જ મારું કર્તવ્ય છે. પણ હાલ મને કંઈ હુકમ કરશો નહીં. જો મારા પર તમને પક્ષપાત હોય, તો બીજું કંઈ નહીં; માત્ર મારા ચક્ષુ કૃતાર્થ કરો, ને તે સત્વશાલી મહારાજનું દર્શન કરાવો. તેમના ચરણકમળનું દર્શન કરવા મારું મન બહુ જ તલસી રહ્યું છે.” “ અહો ! કુમાર !! જો એમ હોય તો આજે જ પધારો.” દંડાધિપે પૂર્ણ ખુશી બતાવી. શુભ દિવસે મારી સાથે સમરકેતુને પ્રયાણ કરાવ્યું. અમે ઉતાવળે કુચ કરતાં કરતાં આજ પરોઢીએ અહીં આવી પહોંચ્યાં. ને આપના ચરણકમળની સેવા કરવાનો અવસર પામ્યા છીએ.”
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy