SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૪. સમરકેતુ અયોધ્યામાં ) એક દિવસે સમરકેતુ અને દંડનાથ જમીને બેઠા હતા. આનંદ વિનોદની વાતો ચાલી રહી હતી. પ્રસંગ મળતાં સેનાપતિએ હાથ જોડી વાત છેડી-; “કુમાર ! આપ મહાપરાક્રમી છો ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ આપની સહાય ઈચ્છે છે. આપ જેવા મારે ત્યાં પધારે તેનું માન સન્માન મારા જેવો અલ્પ કેવી રીતે પુરેપુરી રીતે કરી શકે ? મારું સ્થાન તમે લ્યો, ને મારા ઉપર મહેરબાની કરી. “એ તો તુચ્છ છે.” એમ તમને લાગતું હોય તો તમારા પિતાશ્રીએ ખુશીથી આપેલ યુવરાજપદ રાજધાનીમાં જઈ ભોગવો. પણ કુમાર શ્રી ! મનમાં એમ ન ધારતા કે- “મને એણે જીતી લીધો છે, તેથી તેની મહેરબાનીથી છુટી યુવરાજપણું ભોગવવામાં શી શોભા ?” કેમકે તમને જીતવામાં અમારી શી ગુંજાશ ? તમને કોણ જગતમાં જીતી શકે તેમ છે? છતાં તમને વશ કરી અહીં લાવ્યો છું, તે પ્રભાવ બીજાનો જ છે. જેને દૂરથી જોઈ તમે મૂછ પામી ગયા. તે હું તમને બતાવું.” હુકમ થતાંની સાથે જ તે વીંટી હાજર કરવામાં આવી. અનેક ચમત્કારિક ઝવેરાતની જડતરલવાળી વીંટી સમરકેતુ જોઈ રહ્યો. આ ક્યાંથી મળી ?” આશ્ચર્યથી વીંટી સામે જોઈ રહેલ સમરકેતુએ પૂછ્યું. શક્રાવતાર તીથે ગયા પછીથી જવલનપ્રભ દેવનું મળવું,
SR No.022646
Book TitleTilakmanjari Katha Saransh
Original Sutra AuthorN/A
AuthorRavikantvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2007
Total Pages402
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy