SearchBrowseAboutContactDonate
Page Preview
Page 489
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૮૦ સથી જેમ વિશુદ્ધ બનતું જાય તેમ તેમ આલંબનરહિત તે નિર્મળ શુક્લ ધ્યાન તેની હદમાં ક્રમે ક્રમે ધ્યાતાને પહોંચાડનાર છે. (૨૧૦) વિવેચન-આજ્ઞા વિચય, અપાય વિચય, વિપાક વિચય અને સંસ્થાન વિચય એવા ધમ ધ્યાનના ભેદે અને ધ્યેયને અનુસરીને પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અને રૂપાતીત એવા પાડેલા વિશેષ ભેદે ઉપરથી એટલું સમજી શકાય તેમ છે કે આ ધ્યાન સાલખન હેાઈ તેમાં ક્ષાયેાપશમિક આદિ ભાવ હાય છે, અને જેમ જેમ ધ્યાતા આગળ વધતા જાય છે તેમ તેમ લેશ્યાનું વિશુદ્ધીકરણ થતાં પીત, પદ્મ અને શુક્લ લેશ્યા ઉદ્ભવે છે; આ કારણથી પ્રાચીન સમયમાં મુનિએએ ધમ ધ્યાનની જે સ્તુતિ કરી છે અને અત્ર ગ્રંથકાર પણ તેની સ્તુતિ કરે છે તે ચેાગ્ય જ છે. શ્રી હેમચંદ્રાચાય ધમ ધ્યાનના ફળ વિષે કહે છે: अस्मिन्नितांत वैराग्यव्यतिभंगतरं गिते । जायते देहिनां सैाख्यं स्वसंवेद्यमतींद्रियः ॥ અર્થાત્——આ ધ્યાનમાં અત્યંત વૈરાગ્ય રસના સંચાગથી તરગિત થએલા ચેાગીઓને પોતે અનુભવ કરી શકે તેવુ' અદ્રેય આત્મિક સુખ પ્રાપ્ત થાય છે. આ આત્મિક સુખ જ ચિત્તની રાગદ્વેષરહિત સમસ્થિતિનુ પર્યાયવાચક છે. સાલખન ધ્યાનમાં ધમ ધ્યાન એ ઉચ્ચ શિખરે વિરાજે છે અને નિરાલખ ધ્યાનમાં પ્રવેશ કરવા માટેનું તે છેલ્લું પગથીયું છે. શુક્લ ધ્યાનને ચેાગ્ય હાલનાં શારીરિક બંધારણ હાતાં નથી એવું ચે!ગી જને કહે છે, કારણકે શરીરના કટકા થાય તેપણ ચિત્તની સમસ્થિતિમાં ક્ષેપ–વિક્ષેપ ઉત્પન્ન ન થાય એવુ* શરીરસસ્થાન હેાવુ જોઇએ, તે આ કાળમાં હતું નથી; આ કારણથી ધર્મ ધ્યાન એ શુક્લ ધ્યાનનું પ્રવેશદ્વાર હેાવા છતાં આધુનિક કાળમાં ધર્મધ્યાન સથા ઉપયોગી અભ્યાસવાયાગ્ય અને આદરવાયાગ્ય ધ્યાન છે. શાસ્ત્રીય દૃષ્ટિએ શુક્લ ધ્યાનને સ્પર્શ કરાવનાર ધર્મ ધ્યાન જ છે. દૃષ્ટાંત—આ શ્લોકમાં ધર્મ ધ્યાનનાં જે ફળેા કહ્યાં છે તે ફળના સ્વાદ લેનાર દૃઢપ્રહારીનું દષ્ટાંત અહીં અસૂચક થઈ પડશે. દૃઢપ્રહારી બ્રાહ્મ
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy