SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૩ ચિત્તની અસ્થિરતાના પરિણામરૂપ છે. એક જ અનુષ્ઠાનમાં મુંઝાઇ રહી ત્યારપછીના અન્ય અનુષ્ઠાન તરફ ઉપેક્ષાદષ્ટિ રાખે એટલે આસંગ ઉપજે, જે પતંજલિએ કહેલા પ્રમાદ તથા આલસ્ય રૂપી દોષાનું જ પરિણામ લેખાય. પતંજલિએ કહેલા અલÜભૂમિકત્વ નામનેા ચિત્તદેાષ સાધકના ચિત્તને અસતેષ વડે હિમુ ખ રાખે છે, તેવી જ રીતે અત્ર કહેલા અન્યમુદ્ નામને સાતમા દોષ ચાલુ અનુષ્ઠાનમાં સાધકને અસંતુષ્ટ અને અરૂચિમાન રાખી દૂર દૂર રહેલા અનુષ્ઠાનમાં રાગ ઉપજાવે છે. અને છેલ્લે સદનુષ્ઠાનનું ઉત્થાપન–ઉચ્છેદ કરાવનારે રૂશ્ નામના દોષ તો પતંજલિએ કહેલા ત્યાન— મૂઢતા—ચિત્તચાર્મયતા ની ભૂમિકામાં આવે છે. આ ઉપરાંત પતંજલિ દુઃખ, મનઃક્ષેાભ, અંગનું અજેયત્વ, અને શ્વાસ પ્રશ્વાસના વિક્ષેપને પણ ચિત્તના દાષા તરીકે ગણાવે છે, પરન્તુ ગ્રંથકારે અત્ર એ દોષોની જૂદી ગણત્રી કરી નથી અને આગળ જતાં મન તથા પ્રાણને સબંધ સાધવા માટેનું, અંગનું અજેયત્વ મેળવવા માટે આસનસિદ્ધિનું, શ્વાસપ્રશ્વાસના દાહરણ માટે પ્રાણાયામનું વિધાન કરેલું છે, તે એ વિશિષ્ટ દોષાનું વિરેચન કરવાના હેતુ સારવા માટે છે. આ બધા દોષો ચિત્તના સ્વાભાવિક દોષો છે એટલે તે મનુષ્યના સ્વભાવની સાથેજ જન્મેલા છે. મનુષ્યસ્વભાવ સત્વ, રજસ્ અને તમસ્ એ ત્રણ ગુણાને ખનેલા છે. એટલે એ ત્રણે ગુણાનાં જૂદાં જૂદાં રૂપેદ્વારા પોતાના ધમ ચિત્તરૂપી ક્ષેત્રની અંદર બજાવે છે. ભગવદ્ગીતામાં કહ્યું છે કે— सर्वद्वारेषु देहेऽस्मिन् प्रकाश उपजायते । ज्ञानं यदा तदा विद्याद्विवृद्धं सत्वमित्युत ॥ लोभः प्रवृत्तिरारम्भः कर्मणामशमः स्पृहा । रजस्येतानि जायन्ते विवृद्धे भरतर्षभ ॥ अप्रकाशोऽप्रवृत्तिश्च प्रमादो मोह एव च । तमस्येतानि जायन्ते विवृद्धे कुरुनन्दन ॥ અર્થાત્—આ દેહમાં સક્રિયામાં જ્યારે નાનરૂપ પ્રકાશ ઉત્પન્ન થાય છે, ત્યારે ચિત્તમાં સત્ત્વગુણ જ વિશેષ વધેલા છે એમ સમજવું. ચિત્તમાં / ג
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy