SearchBrowseAboutContactDonate
Page Preview
Page 407
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૮ तन्नैवैहिक पारलौकिक सुखप्राप्तीच्छयाऽप्यल्पया । -नो कीर्त्तिस्तुतिवाञ्छपाऽपितु निराकर्त्तुं पुरा कर्मणाम् ॥ બાહ્ય તપમાંથી અભ્યંતર તપમાં પ્રવેશ, ભાવા—માન્ય તપના પ્રથમ પ્રકાર અનશન–ઉપવાસથી શરૂઆત કરીને ખીજા–ત્રીજા આદિ ખાદ્ય તપનું અનુષ્ઠાન કરતાં અભ્યતર તપમાં પ્રવેશ કરવા; શાન્તિપરાયણ મુનિએ અભ્યંતર તપનું અનુષ્ઠાન કરતાં વૈયાવૃત્યને માર્ગે થઈ બુત્સ તપની નિષ્ઠાપર્યંત પહેાંચવું; તે તપાનુષ્ઠાન પણ આ લોક કે પરલેાકની સુખપ્રાપ્તિની સ્વલ્પ પણ ઇચ્છાથી કે કીર્તિ તથા સ્તુતિની ઇચ્છાથી નહિ, કિંતુ પૂર્વે કરેલાં કર્મોનું નિરાકરણ કરવાને જ કરવું. (૧૯) વિવેચનમાદ્ય તપ એ અભ્યંતર તપમાં પ્રવેશ કરવાનું દ્વાર છે અને તેટલા જ માટે ખાદ્ય તપની આવશ્યકતા છે. આજે કેટલાકેા ખાદ્ય તપના લાભા ગણાવતાં શારીરિક લાભાની ગણત્રી સારી પેઠે કરી બતાવે છે. ઉપવાસાદિ કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને ઊનેાદરી કરવાથી રેગા થતા નથી, કિંવા અમુક સંખ્યા જેટલા ઉપવાસ કરવાથી અમુક રોગો મટે છે, એ બધા શારીરિક લાભા તપના છે ખરા; પરન્તુ આધ્યાત્મિક દષ્ટિબિંદુથી–કની નિરાના હેતુથી તપ કરનારાએએ ભૂલી જવું જેઈએ નહિ કે શરીરની સ્વસ્થતા એ જ તપનું લક્ષ્ય નથી. તપ તા ચિત્તશુદ્ધિ માટે, વૃત્તિઓના શમન માટે અને વાસનાની પ્રમળતાને હટાવવા માટે કરવાનું છે અને તેથી કદાચ શરીરની સ્વસ્થતાને ઘેાડા ભાગ આપવા પડતા હેય તેપણ તે ભેગ આપીને તપ કરવું એ તેનું આધ્યાત્મિક લક્ષ્ય છે. જ્યાંસુધી એ દૃષ્ટિબિંદુથી તપ ન થાય ત્યાંસુધી ખાદ્ય તપ એ અભ્યંતર તપનું પ્રવેશદ્વાર ન ખને અને તપદ્રારા ચિત્તશુદ્ધિ કરવાના હતુ સિદ્ધ ન થાય. આ કારણથી બાહ્ય તપના એક પછી એક પ્રકારનું અનુષ્ઠાન કરતાં કરતાં અભ્યંતર તપમાં પ્રવેશ કરવા એ જ યુક્ત છે અને બાહ્ય તપને એ જ હેતુ છે. ખાદ્ય તપના છ પ્રકાર છેઃ અનશન એટલે ઉપવાસ, ઊનારિક
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy