SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૦ તાને, તેમાંના શક્તિસંપન્ન પુરૂષોને, તેમની સમૃદ્ધિને, તેમના ધર્મને, સાહિત્યન, વિજ્ઞાન કળાન, ખેતીને, ઇત્યાદિનો નાશ થાય છે, ઘમ રક્ષતિ રક્ષિતઃ એવું જે કહ્યું છે તેનો અર્થ એ જ છે કે જે સ્વધર્મનું રક્ષણ કરે છે તેનું રક્ષણ ધર્મ કરે છે, એટલે કે પિતાની ફરજ બજાવવા વડે કરીને લેક પિતાનું જ રક્ષણ કરી શકે છે, તેટલા માટે જ સ્વસેવૈવ મીત્રતં ચાત -સ્વદેશસેવાને એક મહાવ્રત કહ્યું છે, અને તે મહાવ્રત પાળીને ઉપદ્રવને વખતે જનતાનું હિત આચરવું જોઈએ. સ્વચક્ર કરતાં હમેશાં પરચક્ર એ દેશ ઉપરની એક મોટી આપત્તિરૂપ છે. પરદેશી સૈન્ય બીજાને હાનિ કરીને પિતાને સ્વાર્થ સાધી લેવાને અનેક પ્રકારના ઉપદ્રવો કરે છે અને તેને કાળે જે જનતા દેશનું રક્ષણ કરવામાં શિથિલતા દર્શાવે છે તે તેને અત્યંત હાનિ થાય છે. હિંદુસ્તાનમાં એક વખત સર્વત્ર આર્ય ધર્મની જ જુદી જૂદી શાખાઓ વિસ્તરેલી હતી, પરંતુ મુસલમાનોએ હિંદુસ્તાન ઉપર હલ્લા કરવા માંડ્યા અને તેમાં હિંદુઓ હારતા ગયા તેમ તેમ હિંદમાં મુસલમાન પણ પેઠા, હિંદને દ્રવ્યનું, ધર્મનું, વિદ્યાકળાનું, સાહિત્યનું અનેક પ્રકારનું નુકસાન તેથી જ થયું તેને ઇતિહાસ સાક્ષી છે. એટલા માટે દેશને માટે પ્રાણાર્પણ કરવો પડે તે પણ પાછા ન હઠવું તે દરેક દેશી જનને ધર્મ છે. (૧૧૦) દેશની પ્રજા ઉપર એક અન્ય પ્રકારનું પણ સ્વચક્ર કેટલીક વાર આવી પડે છે. આ સ્વચક્ર તે રાજ્યના અધિકારીઓ તરફથી કરવામાં આવતું પ્રજાપીડન છે. આ પ્રસંગે ઉપસ્થિત થતાં શું કરવું તે વિષે ગ્રંથકાર સૂચન કરે છે.] अधिकारिणामुपद्रवनिवर्त्तनम् । १११ ॥ ये राज्ञा निजदेशरक्षकतया योग्ये पदे स्थापिताः। स्युस्ते पामरभक्षका यदि नृपाऽमात्यादयोऽन्यायिनः॥ संसाध्यैक्यबलं तदाऽखिलजनैस्तद्देशवास्तव्यकैः । कार्य तत्परिवर्त्तनं विनयतो राज्ञे निवेद्योत्तमैः॥ અધિકારીઓ તરફથી થતા ઉપદ્રવનું નિવર્તન. ભાવાર્થ-રાજાએ જેમને પોતાના દેશને આબાદ બનાવવાને પ્રજાના
SR No.022641
Book TitleKarttavya Kaumud Dwitiya Granth
Original Sutra AuthorN/A
AuthorRatnachandra Muni, Chunilal V Shah
PublisherChunilal V Shah
Publication Year1931
Total Pages514
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy