________________
૧૯૧
यस्त्यक्त्वा गुणसंहतिवितनुते गुहाति दोषान्परे दोषानेव करोति जातु न गुणं त्रेधा स्वयं दुष्टधीः । युक्तायुक्तविचारणाविरहितो विध्वस्तधर्मक्रियो लोकानन्दिगुणोऽपि कोऽपि न खलं शक्नोति संबोधितुं॥४३३॥ | દુર્જન અન્ય પુરૂષોમાં રહેલાં ગુણોની શ્રેણી ત્યજીને તેઓનાં દોષને વિસ્તારે છે, દેષજ ગ્રહણ કરે છે, અને બીજા દોષનું જ ઉત્પાદન કરે છે, પણ તેના ગુણને એ ત્રણ પ્રકારે કરતે નથી એટલે વિસ્તારતે નથી, ગ્રહણ કરતું નથી તેમજ પેદા કરતું નથી, એવી રીતે તે ગ્યા. રોગ્ય વિચારણાથી રહિત થાય છે અને ધર્મ કિયાથી વિમુખ રહે છે, માટે ખલપુરૂષને સમજાવવાને. (સુમાગે ચડાવવાને ) જેના ગુણેથી લોક આનન્દ પામે એ, માણસ પણ શક્તિમાન નથી. दोषेषु स्वयमेव दुष्टधिषणो यो वर्तमानः सदा तत्रान्यानपि मन्यते स्थितिवतस्त्रैलोक्यवर्त्यङ्गिनः । कृत्यंनिन्दितमातनोति वचनं यो दुःश्रवं जल्पति चापारोपितमार्गणादिव खलात्सन्तस्ततो बिभ्यति ॥४३४॥
દુષ્ટબુદ્ધિ દુર્જને હમેશાં દોષથી વ્યાપ્ત રહે છે અને તેથી આ ત્રણ લેકના અન્ય પ્રાણીઓમાં પણ દેષજ જુએ છે તે નિંદ્ય કાર્ય આચરે છે અને કર્ણકટુ ન સાંભળી શકાય તેવા શબ્દોને પ્રયોગ કરે છેઆ કારણથી જેમ ધનુષ્યપર ચડાવેલા બાણથી લકે ડરે તેમ સજજને દુર્જનથી ડરે છે.