SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આર્તધ્યાન, દુર્ભાવાદિ કર્યા. (સાયેરિયાi સાસાયUIS ઉવજ્ઞાયા आसायणाए) ૬. પોતાની ભૂલ હોય કે ન હોય અન્યની સાથે કલેશ થયા, વાચિક કલહ વગેરે થયા, કષાય કર્યો અને છતાં પ્રતિક્રમણ પૂર્વે મિચ્છા મિ દુક્કડ ન કર્યા. (સાદૂ કામાયણIS.) ૭. મનમાં વૈરભાવની ગાંઠ રાખી જેના પ્રત્યે વૈર ઊભું થયું છે એનું કાર્ય બગડે એમ ઈછ્યું, એ માટે પ્રયાસો કર્યા, એ સાધુ કે શ્રાવકની અન્યને સાચી ખોટી હલ્કી વાતો કરી. સુવિદિત પાસે દીક્ષા માટે તૈયાર થયેલા-થતાં મુમુક્ષુને પોતાના શિષ્ય બનાવવા તે ઉપકારી ગુરુના સાચા ખોટા દોષો પ્રગટ કરીને મુમુક્ષુ અને તેના પરિવારને તેમનાથી પરામુખ કર્યા. (શિષ્યનિરિવા) ૯. આચારચુસ્ત કે આચારચુસ્તતાનો આગ્રહ રાખનાર શ્રાવકની વેદિયા મા-બાપ, ચૌરસિયા વગેરે શબ્દાદિ દ્વારા સૂગ કરી. ૧૦. શ્રાવક-શ્રાવિકાઓને તુચ્છકારી નાંખ્યા, ઉતારી પાડ્યા. વાણિયા શું સમજે? એમની શું કિંમત છે ?” વગેરે રૂપે આશાતના કરી... (सावयाणं आसायणाए) ૧૧. ઉપાશ્રયના માણસો, નોકરોને સારૂં લગાડવા (ખુશ રાખવા) માટે તેઓ સંઘના ટ્રસ્ટી, કાર્યકર્તાઓ કે આરાધકોની જે નિંદાદિ કરે એમાં ટાપશી પુરાવી. ૧૨. આરાધકોની કે શ્રાવકોની એમના કૃપણતા, અનિયમિતતા, પારણામાં લોલુપતા, અધિક ખોરાક, ક્રોધ વગેરે દોષોને આગળ કરીને વારંવાર નિંદા કરી. ૧૩. શ્રાવક-શ્રાવિકાને પચ્ચખાણ, સામાયિક-પોષધ આદિના આદેશ આપવામાં, રેમિ ભંતે ઉચ્ચરાવવામાં ઉપેક્ષા કરી, કંટાળો દાખવ્યો. ૧૪. અવાવર પાટ-પાટલા, ટેબલ વગેરે અતિ જરૂરિયાત વગર અને તે પણ સારી જયણા વગર ઉથલપાથલ કર્યા, લીધા, વાપર્યા. તેમ કરતાં કરોળિયાના જાળાં વગેરે તૂટ્યા. ૧૫. ઠલ્લે-માતરે ગયે ગૃહસ્થની જેમ રેલછેલ પાણીનો ઉપયોગ કર્યો. માપમાં વપરાયેલ પાણી પણ યતનાપૂર્વક લાવી ન દેતાં ખાબોચીયાં --- ------------AM-KH--M-IN-IN-I-MAHM A H AHAHAHAHIMA- IANNA-IAM * ૧૬૪ જૈન શાસ્ત્રોના ચૂંટેલા શ્લોકો ભાગ-૨
SR No.022618
Book TitleJain Shastrona Chuntela Shloko Part 02
Original Sutra AuthorN/A
AuthorChandrashekharvijay
PublisherKamal Prakashan Trust
Publication Year2003
Total Pages178
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy