________________
-~~-~~વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ~~~ વિનંતિ કરી. બાર સાધુઓનું એ ગ્રુપ શેષકાળમાં ઉત્તર ગુજરાતની સ્પર્શના કરી રહ્યું હતું.
કયો અભિગ્રહ લેવો છે ? એ જણાવો. પછી બધી વાત.” વિદ્યાગુરુએ પહેલેથી બંધાયા વિના અદ્ધરતાલ જવાબ આપ્યો.
હું રોજ બપોરે ગોચરી જાઉં છું. જો મને પહેલા જ ઘરે દૂધીના શાકની વિનંતિ કરે, તો જ પછી મારે શાકની છૂટ ! ત્યાં સુધી સુકું-લીલું બધા જ શાક બંધ!” મુનિએ રજુઆત કરી. ‘તમારા બદલે બીજા કોઈ મહાત્માને દૂધીની વિનંતિ થાય તો ?' ના ! એ નહિ ચાલે. મને જ વિનંતિ થાય તો જ...” દૂધીને બદલે બીજું કોઈ શાક...'
તો તો આવતી કાલે જ બાધા પૂરી થઈ જાય. શિયાળામાં દૂધી જલ્દી નથી મળતી, એટલે એની ધારણા કરી છે.”
પહેલા ઘરને બદલે બીજા, ત્રીજા ઘરે વિનંતિ થાય તો ?...” ના. એ પણ ન ચાલે.”
જુઓ, તમે હમણાં જ એકાસણા શરુ કર્યા છે. એનાથી ઓછું પચ્ચકખાણ કરવાનું નથી. બપોરે તમે દૂધ માફક ન હોવાથી લેતા નથી. તમે શાક પણ બંધ કરશો, તો માત્ર રોટલી-દાળભાત-મિષ્ટ... ઉપર ચલાવવું પડશે. તળેલું તો તમારે આખી જીંદગી બંધ છે. આ બધું વિચારીને નિર્ણય લેજો. આ બાધા લાંબી ચાલે, તો મહીનાઓ કે વર્ષો સુધી પણ પૂરી ન થાય.
અને આપણે કોઈની પાસે જાણી જોઈને શાક બનાવડાવીને તો પારણું કરવાનું જ નથી. જે નિર્દોષ મળે, એનાથી જ ચલાવવાનું છે.” વિદ્યાગુરુએ બધા ભયસ્થાનો બતાવી દીધા.
“આપ સૌ વડીલોની કૃપા હશે, તો કશો વાંધો નહિ આવે.” મુનિએ વિશ્વાસપૂર્વક જવાબ આપ્યો, ચલિત ન થયા, ગભરાયા નહિ... અને અભિગ્રહની શરુઆત થઈ ગઈ. દિવસો પર દિવસો વીતતા ગયા, પણ પ્રતિજ્ઞા પૂરી થતી ન હતી. એક દિવસ
નિસીહિના મોટા હર્ષસભર ધ્વનિ સાથે મુનિએ ઉપાશ્રયમાં પ્રવેશ કર્યો. વિદ્યાગુરુને લાગ્યું કે આજે બાધા પૂરી થઈ ગઈ લાગે છે. રોજના અવાજ કરતા ઘણા મોટા અવાજે મુનિ બોલ્યા છે.
કેમ ? આજે મળી ગયું ને, દૂધીનું શાક !” હા જી ! મળી ગયું, પણ પહેલા નહિ, બીજા ઘરે !'
અરેરે ! તો તો બાધા પૂરી ન થઈ. તો આટલી મોટેથી નિસીહિ કેમ બોલ્યા?' વિદ્યાગુરુએ ખેદ દર્શાવ્યો.
ખૂબ આનંદ થયો આજે ! જો બીજા જ ઘરે પહેલો ગયો હોત, તો તો બાધા પૂરી થઈ જાત. પણ એ ન ગયો, એમાં મારો ત્યાગ વધશે.”