________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ
“શા માટે ? જરૂર નથી.” મેં કહ્યું.
“અમારે કરવું જ છે.” એ જીદે ચડ્યા, અને અમારે હા પાડવી પડી.
પાછળથી ખબર પડી કે બડનગરવાળા પેલા ભાઈએ જ અધ્યક્ષશ્રીને કહેલું કે “મારે તમારા ગામમાં મહારાજ સાહેબના આગમન નિમિત્તે સ્વામિવાત્સલ્ય કરવું છે.” એટલે ગામવાળાએ કહ્યું કે “બહારવાળા આવીને અહીં લાભ શાના માટે લઈ જાય ? અમે જ સ્વામિવાત્સલ્ય કરશું.” મેં બડનગ૨વાસી ભાઈને કહ્યું “તમે આવું કેમ કરો છો ? શા માટે આગળ અમારા આગમનની સૂચના મોકલો છો ?”
“જુઓ મહારાજ સાહેબ !” એમની આંખોમાં મોતી શોભવા લાગ્યા.” “જે સાધુઓ પોતાની સૂચના ન મોકલતા હોય, તેની સૂચના અમે મોકલાવવાના જ.... અને આ તો કસ્તુરીની દલાલી... અમારી પહોંચ-ઓળખાણ જ્યાં સુધી હશે, ત્યાં સુધી અમે તો સૂચના મોકલાવતા જ રહેશું. આ ભાઈની ઘણી બધી વાતો જણાવવાની છે, એ પછી ક્યારેક જણાવીશ. અત્યારે તો એટલું જ કહું કે
“શ્રાવક સાધુના આચારોથી કેટલા અહોભાવયુક્ત થાય છે ?” તે જાણીને સંયમને ઝૂકી ઝૂકીને વંદન કરવાનું મન થયું. (અહીં પત્ર પૂર્ણ થાય છે.)
(હું અત્યારે ઉનાળામાં તરસથી પીડાતા પશુ-પંખી-માનવો માટે પાણીની પરબ ખોલવાની વાત નથી કરતો. પણ ગુજરાત બહારના સેંકડો ગામોમાં સંયમીઓના વિચરણના અભાવને કારણે તરસ્યા બનેલા હજારો-લાખો જૈનોની તરસ છિપાવવા માટે સંયમીઓને વિનંતિ કરું છું કે “Please ! Quite Gujarat. and Mumbai..... અને બહાર તમારી ધાર્મિકજલની પરબ ખોલો.”)
આવું સાધુવૃંદ સર્વત્ર હોજો
૧૭ સાધુઓનો એ પરિવાર !
બે આચાર્ય, એક પંન્યાસ અને ૧૪ સામાન્ય મુનિઓ !
એમની તપશ્ચર્યાની એક આછી ઝલક જ આપણે જોવાની છે.
(૧) આચાર્ય ભગવંત-૧ :
(૨) આચાર્ય ભગવંત-૨ : (૩) પંન્યાસજી :
૧૦૦ + ૮૮ ઓળી.
પુસ્તક લેખન - સંપાદન સંખ્યા ૫૦-૬૦.
૩૨ વર્ષનો દીક્ષા પર્યાય, ૧૦૦ + ૯૦ ઓળી.
સળંગ ૫૦૦ આંબિલ ૧ વાર. સળંગ ૧૪૦૦ આંબિલ - ૧ વાર. છેલ્લા આઠ વર્ષથી ઠામ ચોવિહાર !
૩૫
-