________________
~~~~~~~ વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ ——————— પણ વૈયાવચ્ચોદિના પ્રભાવે એ પણ સારું થયું. આજે ૨૫/૩૦ કિ.મી.નો વિહાર પણ નિર્વિને થાય છે.
નામ લખતો નથી, ક્ષમાપના. | (સીધી-સાદી ભાષામાં, સુંદર મઝાના શબ્દોમાં લખાયેલો આ એક પત્ર ઘણું ઘણું કહી જાય છે. વૃદ્ધોની - વડીલોની - ગ્લાન સાધુઓની સેવા-ભક્તિ-વૈયાવચ્ચ પ્રત્યેક સંયમીની અંગત ફરજ છે... એ વૈયાવચ્ચ જ મોહનીયકર્મનો ભુક્કો બોલાવી દેશે... આપણે મુખ્યત્વે તો મોહનાશની જ સાધના કરવાની છે ને !)
તરરયાઓ માટે પરબ ખોલીએ.
(એક મુનિરાજનો આવેલો પત્ર.). મહા વદ-૧૦ ગોધરા. (આ પત્ર લખ્યાની તારીખ છે.) કેટલાય સરસ અનુભવો વિહાર દરમ્યાન થઈ રહ્યા છે.
અમે એમ.પી.માં બડનગરમાં પ્રવેશી રહ્યા હતા. સવારનો ૧૭ કિ.મી.નો વિહાર ! ઠંડક હોવાથી અજવાળામાં જ વિહાર.. અને બપોરે સાડા દસ વાગે એક ભાઈ પોતાની ગાડીમાં ગોડાઉન પર જઈ રહ્યા હતા. અમને બંનેને જોઈને આશ્ચર્યચક્તિ બની ગયા.
એમને આશ્ચર્ય એટલું જ કે “સાધુ ભગવંતો આવવાની કોઈ પૂર્વ સૂચના તો મળી નથી.” અને અચાનક એમણે તરત ગાડી પાછી વાળી.
“મFએણ વંદામિ' કહી નીચે ઉતર્યા, “પધારો, પધારો સાહેબજી' કહીને અમને ખૂબ જ ઉમળકા સાથે દેરાસર-ઉપાશ્રય બતાડ્યા.
ચાલો, આજે આપને ગોચરી માટેના ઘરો પણ બતાડું” અને મારી સાથે અડધો કલાક ફરીને બધા ઘરો બતાવ્યા. મેં વચ્ચે કહ્યું પણ ખરું કે “તમે તો ગાડીમાં ક્યાંક બહાર જતા હતા ને? તમને મોડું તો નહિ થાય ને ?” પણ સ્મિત સાથે એક જ જવાબ આપ્યો “આમે ય ઘણું મોડું થયું જ છે. ફિકર નહિ.”
બપોરે બધું કામકાજ પૂછી કરીને ગયા. રાત્રે એ ભાઈ મળવા આવ્યા. “મFએણ વંદામિ ! સાહેબજી, બેસી શકું છું?” “હા, હા ! બેસાશે.”