________________
વિશ્વની આધ્યાત્મિક અજાયબીઓ આપણા સાધુ-સાધ્વીજી ભગવંતો
કુંજર સમા શૂરવીર જે છે, સિંહ સમ નિર્ણય વળી... ગંભીરતા સાગર સમી જેના હૃદયને છે વરી, જેના સ્વભાવે સૌમ્યતા છે પૂર્ણિમાના ચંદ્રની એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
આકાશભૂષણ સૂર્ય જેવા, દીપતા તપ-તેજથી વળી પૂરતા દિગંતને, કરુણા ઉપેક્ષા મૈત્રીથી હરખાવતા જે વિશ્વને મુદિતા તણા સંદેશથી એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
ભાગ-૪
જે શરદઋતુના જલ સમા, નિર્મલ મનોભાવો વડે ઉપકાર કાજ વિહાર કરતા, જેવિભિન્ન સ્થળો વિશે જેની સહનકિત સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે એવા મહાવ્રતધારીને પંચાંગ ભાવે હું નમું
યુગપ્રધાન આચાર્યસમ પૂ. પં. શ્રી ચન્દ્રશેખરવિજયજી મ.સા.