________________
ચાલીને ખીચન ઉપાશ્રયમાં પહોંચ્યા અને ઉપાશ્રયમાં બિરાજતા મુનિવરનાં દર્શન કર્યા. વંદણ નમસ્કાર કરી સુખશાતા પૂછી, બહાર નીકળ્યા અને પિતાનાં સામાયિકનાં કપડાં પહેર્યા અને પછી પૂજ્ય શ્રી સંતની સન્મુખ સામાયિક કરવા બેઠા, તેમાં “જાવ નિયમ પજવાનુવાસામિ દુવિહં તિવિહેણ” ના બદલે “જાવ જીવ પજજુવાસામિ તિવિહં તિવિહેણું” બેલ્યા. તે શ્રી લાલચંદજી મહારાજે સાંભળ્યું અને તેઓશ્રીએ પૂછયું કે “વિનોદકુમાર ! તમે આ શું કરે છે, તેને જવાબ આપવાને બદલે “અપાણે સિરામિ” બેલી પાઠ પૂરે કર્યો અને પછી વિનયપૂર્વક બે હાથ જોડી બોલ્યા કે “સાહેબ! એને બની ચૂકર્યું અને મેં સ્વયમેવ દીક્ષા લઈ લીધી, તે બરાબર જ છે અને તેમાં કોઈ ફેરફાર થઈ શકે તેમ નથી. આ સિવાય આપશ્રીની બીજી કઈ પણ પ્રકારની આજ્ઞા હોય તે ફરમાવો.
તે જ દિવસે બપોરના મુનિશ્રી સમર્થલાલજી મહારાજ સાહેબે શ્રી વિવાદકુમાર મુનિને પિતાની પાસે લાવ્યા અને સમજાવ્યા કે “તમે એક સારા ખાનદાન કુટુંબના વ્યક્તિ છો. તમારી આ દીક્ષા અંગીકાર કરવાની રીત બરાબર નથી, કારણ કે તમારા માતા-પિતાને આ હકીકતથી દુઃખ થાય અને તેથી મારી સંમતિ છે કે રજોહરણની ડાંડી ઉપરથી કપડું કાઢી નાખે જેથી તમો શ્રાવક ગણાવ અને જરૂર પડે તે શ્રાવકેને સાથે લઈ શકે, એમ ત્રણવાર પૂજ્ય “મહારાજશ્રીએ સમજાવેલા પરંતુ તેમણે ત્રણેય વખત એક જ ઉત્તર આપેલ કે “જે થયું તે થયું. હવે મારે આગળ શું કરવું તે ફરમાવે.”
શ્રી વિષ્ણુનિના શ્રી સમર્થમલજી જેવા મહામુનિના પ્રશ્નના જવાબ પછી ખીચનને ચતુર્વિધ સંઘ વિચારમાં પડી ગચે અને મુનિશ્રીઓ પર સંસારીઓનો કેઈપણ પ્રકારનો નિષ્કારણ હુમલે ન આવે તે માટે શ્રી વિનોદમુનિને જણાવવામાં આવ્યું કે “અમારી સલામતી માટે તમારે જાહેર નિવેદન બહાર પાડવાની જરૂર છે.”