________________
શ્રી જસરાજભાઈની યથાયોગ્ય સેવા બજાવી, માંગરેલ રવાના કર્યા અને પિતે નિશ્ચયપૂર્વક દીક્ષા માટે આજ્ઞા માગી પણ તેઓના પિતાશ્રીની એકને એક વાણી સાંભળીને તેમના મનમાં આઘાત થયે અને દક્ષા લેવા માટે તેમણે બીજે રસ્તે શોધી કાઢયે
પૂજ્ય શ્રી લાલચંદજી મહારાજ અને તેમના શિષ્યોને પરિચય મુંબઈમાં થયેલ હતું અને ત્યારબાદ કોઈ કઈ વખત પત્ર વહેવાર પણ થતો હતો. છેલ્લા પત્રથી તેમણે જાણેલ હતું જે પૂ. શ્રી લાલચંદજી મહારાજ, ખીચન, પુ. આચાર્ય શ્રી સમર્થમલજી મહારાજ સાહેબ પાસે જ્ઞાનાભ્યાસ અર્થે ગયા છે. પોતાને પિતાશ્રીની આજ્ઞા (દીક્ષા માટે) મળે તેમ નથી અને દીક્ષા તે લેવી જ છે. આજ્ઞા વિના કેઇ સાધુ મુનિરાજ દીક્ષા આપશે નહિ અને સ્વયમેવ દીક્ષા સૌરાષ્ટ્રમાં લઈને આચાર્ય શ્રી પુરુષોત્તમ જી મહારાજ પાસે જવામાં ઘણું વિન થાશે, એમ ધારીને તેઓએ દૂર રાજસ્થાનમાં ચાલ્યા જવાનું નક્કી કર્યું.
તા. ૨૪-૫-૧૭ સાં. ૨૦૧૩ના વૈશાખ વદ ૧૦ ને શુક્રવારના રોજ સાંજના માતુશ્રી સાથે છેલ્લું જમણ કર્યું. જન કરી, માતુશ્રી સામાયિકમાં બેસી ગયાં. તે વખતે કેડને જાણ કર્યા વગર દીક્ષાનાં વિદનોમાંથી બચવા માટે ઘર, કુટુંબ, સૌરાષ્ટ્ર ભૂમિ અને ગોંડલ સંપ્રદાયનો ત્યાગ કરી તેઓ ખીચન તરફ રવાના થયા.
શ્રી વિનોદમુનિના નિવેદન પરથી માલુમ પડ્યું કે તા. ર૪૫–૫૭ના રોજ રાત્રે આઠ વાગ્યે ઘેરથી નીકળી રાજકેટ જંકશને જોધપુરની ટિકિટ લીધી. તા. ૨૫-૫–૫૭ના સવારે ૮ વાગ્યે મહેસાણા પહોંચ્યા ત્યાં અઢી કલાક ગાડી પડી રહે છે, તે દરમ્યાન ગામમાં જઈને લોન્ચ કરવા માટેના વાળ રાખીને બાકીના કઢાવી નાખ્યા અને ગાડીમાં બેસી ગયા, મારવાડ જંકશન તથા જોધપુર જંકશન થઈને તા. ૨૬-૫–૫૭ની સવારે ૪ વાગ્યે ફલદી પહોંચ્યા ત્યાંથી પગે