________________
" નયવિચાર જીવાદિ તને બેધ પ્રમાણ અને ન વડે થાય છે.” આ સૂત્રપરના પજ્ઞભાષ્યમાં–
“પ્રમાણનહિંતરાિમો મવત્તિ' એમ કહ્યું છે, એટલે આ તત્ત્વધ વિસ્તારથી થાય છે, એમ સમજવાનું છે.
અહીં એ સ્પષ્ટતા પણ કરી દઈએ કે માત્ર દ્રવ્યાનુગ જ નહિ, માત્ર તત્વજ્ઞાન જ નહિ, પણ જૈન મહષિએને કઈ પણ ઉપદેશ–આદેશ યથાર્થ પણે સમજ. હોય તે તેમાં નયજ્ઞાનની ખાસ જરૂર રહે છે, કારણ કે જૈન મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બેલે છે અને એ સાપેક્ષપણાનું જ્ઞાન આપણને નયવાદથી–નયની પદ્ધતિથી જ થાય છે. '
અહીં કોઈ એમ કહેતું હોય કે જેને મહર્ષિએ જે કંઈ બોલે છે, તે સાપેક્ષપણે બોલે છે એમ શાથી માનવું ? તે તેમની વિચારણાર્થે અમે શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણે શ્રી વિશેષાવશ્યક ભાષ્યમાં કહેલાં નીચેનાં વચને રજૂ કરીએ છીએ? 'नत्थि नएहि विहुणं सुतं अत्थो अ जिणमए किंश्चि।' જિનમતમાં-જિનપ્રવચનમાં કેઈ પણ સૂત્ર કે અર્થ નયરહિત નથી.”
“વચન સાપેક્ષ વ્યવહાર સાચે કહ્યો, વચન નિરપેક્ષ વ્યવહાર જૂઠે’ એ પંક્તિ ઘણને કર્ણાચર થઈ હશે. તેને અર્થ એ છે કે નિરપેક્ષપણે બેલવું એ જૂઠે વચનવ્યવહાર છે. હવે જૈન મહર્ષિએ સત્યને જ વરેલા હોવાથી