________________
નયવિચાર [ અનેકાંતવાદના નિરૂપણ છે !
૧–નયની ઉપયોગિતા
મનુષ્ય કૂપમંડૂકવૃત્તિ છેડીને જ્ઞાનના વિશાળ પ્રદેશમાં દાખલ થાય છે, ત્યારે તેનાં મનમાં અનેક પ્રશ્નો ઉઠે છે : “આ આકાશ (Space) શું છે? તેમાં કોઈ પદાર્થની ગતિ
x કૂપમંડૂકનું દષ્ટાંત આ પ્રમાણે સમજવું ?
એક વાર વરસાદ ખૂબ પડવાથી સરોવરનાં નીર છલકાયા અને તેમાં રહેનારો દેડકો બાજાના એક કૂવામાં આવી ગયો. ત્યાં કૂવામાં રહેનારા મંડૂકે–દેડકાએ પૂછયું કે “હે ભાઈ! તું ક્યાંથી આવ્યું ?” પિલાએ કહ્યું : “સરેવરમાંથી.” હવે કૂવાનો દેડકો કદી પણ કૂવો છોડીને બહાર નીકળ્યો ન હતો, તેથી પેલા દેડકાને પૂછવા લાગ્યો કે સરેવર એટલે શું ?” પેલાએ કહ્યું કે “જ્યાં ઘણું પાણી હોય તેને સરવર કહેવાય.”
કૂવાના દેડકાએ પૂછ્યું કે “ઘણું એટલે કેટલું ? શું તે આ કૂવાના ચોથા ભાગ જેટલું હશે ? ” પેલાએ કહ્યું કે “તેથી તો ઘણું વધારે.” ફરી કૂવાના દેડકાએ પૂછ્યું કે “શું તે આ કૂવાના અર્ધાભાગ જેટલું હશે ?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે. આથી કૂવાના દેડકાને આશ્ચર્ય થયું અને તેણે ફરી પૂછ્યું કે “શું તે આ આખા કૂવા જેટલું હશે?” પેલાએ કહ્યું કે “તેથી પણ ઘણું વધારે.' .