SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ફર નયવિચાર કાંત જ્ઞાને લેખ ડની સ્ટીમરા તરતી થઇ અને આજે તો એ સાત સાગરમાં સફર કરે છે. વીજળી, ધ્વનિ, અણુશક્તિ વગેરે ખાખતામાં પણ તે અનેકાંતદૃષ્ટિએ જ ફાવ્યા છે. તે જ્ઞાનપ્રાપ્તિનાં મુખ્ય સાધના અભ્યાસ, તુલના અને સમન્વય મનાય છે, તેમાંના કોઈ પણ અનેકાંત દૃષ્ટિ વિના સંભવતા નથી. વસ્તુને અનેક દૃષ્ટિએ જોવી—તપાસવી એ અભ્યાસ છે; વસ્તુના વિવિધ ગુણેને અનેક રીતે સર ખાવવા એ તુલના છે; અને વસ્તુઓમાં રહેલા અનેક ગુણામાં સમાનતા શોધવી એ સમન્વય છે. વ્યવહાર પર નજર કરીએ તે ત્યાં પણ અનેકાંતદૃષ્ટિના જ વિજયવાવટા ફરકે છે. જે મનુષ્ય પેાતાના એકનો જ વિચાર કરે છે, તે સ્વાથી કે એકલપેટા ગણાય છે અને દુનિયાથી હડધૂત થાય છે, જ્યારે અનેકનો એટલે પોતાના કુટુંબીજનોનો, સગાંવહાલાંઓનો, સંબધીઓનો, ન્યાતીલા આનો, સાધર્મિકાનો, ગ્રામજનોનો તથા દેશમાંધવાનો વિચાર કરનાર પરગજુ કે પાપકારી ગણાય છે અને તે સર્વાંના માનનો અધિકારી થાય છે. જે પેાતાને મણિલાલ, માનશકર કે મૂળદાસ તરીકે એક ગણે છે, તે આ જગતમાં પોતાનું કર્તવ્ય બજાવી શકતા નથી, પણ કોઈનો પુત્ર, કાઇનો પિતા, કેાઈનો કાકા, કોઈનો ભત્રીજો એમ પેાતાને અનેક સગપણવાળા માને છે, તે જ પેાતાનુ કર્તવ્ય ખરાખર મજાવી શકે છે. જેઓ એમ માને છે કે વિવિધ દૃષ્ટિબિંદુ ધરાવતા
SR No.022553
Book TitleJain Shikshavali Nayvichar
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Tokarshi Shah
PublisherJain Sahitya Prakashan Mandir
Publication Year
Total Pages58
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy