________________
હોઈ શકે અથવા તો તત્ત્વજ્ઞાની હોય તે સર્વજ્ઞ હોય જ અને તેથી હું માનું છું કે જૈનદર્શન તત્ત્વજ્ઞાનમય છે, કેવળ વિજ્ઞાનમય નથી.
આ જ વાત આચાર્ય મહારાજ શ્રીહરિભદ્રસૂરિ પણ કહે
दृष्टशास्त्राऽविरुद्धार्थं सर्वसत्त्वसुखावहम् । मीतं गभीरमाह्लादिवाक्यं यस्य, स सर्वविद् ॥१॥ एवं भूतं तु यद् वाक्यं जैनमेव, ततः स वै । સર્વો, નાચ, તિવ્ય થતા વચૈવ મતે પરા पक्षपातो न मे वीरे, द्वेषो न कपिलादिषु । યુમિદ્વિવ યસ્થ, તસ્ય, વાર્ય: પઃિ રૂા.
જેનું વાક્ય જગત અને શાસ્ત્ર (થીઅરીઓ Theory) કરાતાં વિરુદ્ધ અર્થ ન સમજાવતું હોય, સર્વ પ્રાણીઓને હિતકર હોય, માપસર હોય, ગંભીર અને આનંદદાયક હોય, તે સર્વજ્ઞ સમજવો. (૧)
એવા પ્રકારનું જે વાક્ય, તે તો કેવળ જૈન વાક્ય જ છે : તેથી તે જ સર્વજ્ઞ છે, બીજા કોઈ સર્વજ્ઞ હોઈ શકે નહીં. આ વાત સ્યાદ્વાદની ઉક્તિથી જ સાબિત કરી શકાય છે. (૨)
મને મહાવીર ઉપર પક્ષપાત નથી અને કપિલ વગેરે ઉપર દ્વેષ નથી. છતાં એટલું તો ખરું જ છે કે–જેની વાત યુક્તિયુક્ત હોય, તેનો તો સ્વીકાર કરવો જ પડે ને ? (૩).
સ્યાદ્વાદને આજે ખરા અર્થમાં સમજવો એ સ્યાદ્વાદની