SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭ર જૈનદર્શન દાખલ કરી દીધા છે જેમાં પુદ્ગલ આદિ પ્રકટ પરપદાર્થ પડેલા છે. વ્યવહારનય પરસાપેક્ષ પર્યાયોને ગ્રહણ કરનારી છે. પર દ્રવ્યો તો સ્વતંત્ર છે, તેથી તેમને તો સ્વ અર્થાત પોતાનાં કહેવાનો પ્રશ્ન જ ઊઠતો નથી. અધ્યાત્મશાસનો ઉદ્દેશ્ય છે કે તે સાધકને એ સ્પષ્ટ બતાવી દે કે તેનું ગન્તવ્ય સ્થાન કયું છે? તેનું પરમ ધ્યેય અને ચરમ લક્ષ્ય શું હોઈ શકે ? વચમાં આવતા પડાવો તેનું સાધ્ય નથી. તેણે તો તેમનાથી બહુ ઊંચે ઊઠીને પરમ સ્વાવલંબી બનવાનું છે. લક્ષ્યનું શુદ્ધ હૂબહૂ વર્ણન કરવામાં ન આવે તો મોહી જીવ અવશ્ય ભટકી જાય છે, ભ્રમમાં પડી જાય છે. સાધકે તો સ્વોપાદાનક પરંતુ પરનિમિત્તક વિભૂતિ યા વિકારોથી તેવી રીતે અલિપ્ત રહેવાનું છે, તેમનાથી ઉપર ઊઠવાનું છે જેવી રીતે કોઈ સ્ત્રી, પુત્ર આદિ પર ચેતન તથા ધન, ધાન્ય આદિ પર અચેતન પદાર્થોથી સર્વ સંબંધો તોડી અલિપ્ત થઈ સ્વાવલંબી માર્ગ પકડે છે. જો કે આ તો સાધકની ભાવના માત્ર છે પરંતુ તેને આચાર્ય કુન્દકુન્દ દાર્શનિક આધાર પૂરો પાડ્યો છે. આચાર્ય કુન્દકુન્દ તે લોકવ્યવહારને હેય માને છે જેમાં લેશમાત્ર પણ પરાવલંબન હોય. પરંતુ અહીં ધ્યાનમાં રાખવાની વાત તો એ છે કે તે સત્યસ્થિતિનો અપલાપ કરવા નથી ઇચ્છતા. તે લખે છે કે “જીવના પરિણામોનું નિમિત્ત મળતાં પગલદ્રવ્ય કર્મપર્યાયમાં પરિણત થાય છે અને તે કર્મોના નિમિત્તથી જીવમાં રાગાદિ પરિણામો થાય છે, જો કે બંને પોતપોતાના પરિણામોના ઉપાદાન બને છે પરંતુ આ પરિણમનો પરસ્પરહેતુક અન્યોન્યનિમિત્તક છે. તેમણે ‘મોwiffમત્તે’ પદથી આ ભાવનું સમર્થન કર્યું છે, અર્થાત્ કાર્ય ઉપાદાન અને નિમિત્ત બંનેની સામગ્રીથી થાય છે. આ તથ્યનો અપલાપ કર્યા વિના તેનું તે વિવેચન કરે છે અને જગતના તે અહંકારમૂલક નૈમિત્તિક કર્તુત્વનું ખરું વિશ્લેષણ કરીને કહે છે કે “બતાવો કુંભારે ઘડો બનાવ્યો એમાં કુંભારે આખરે કર્યું શું? એ સાચું કે કુંભારને ઘડો બનાવવાની ઇચ્છા થઈ, તેણે ઉપયોગ લગાવ્યો અને યોગ અર્થાત્ હાથપગ હલાવવાની ક્રિયા કરી! પરંતુ “ઘટ’ પર્યાય તો માટીમાં જ ઉત્પન્ન १. जीवपरिणामहेहूँ कम्मत्तं पुग्गला परिणमंति । पुग्गलकम्मणिमित्तं तहेव जीवोवि परिणमइ ।।८०॥ ण वि कुव्वइ कम्मगुणे जीवो कम्मं तहेव जीवगुणे । અwોwifમત્તે ટુ ગામ ના હોદ્દે િદશા સમયસાર. २. जीवो ण करेदि घडं णेव पडं णेव सेसगे दव्वे । નાગુવો ૩૫ ય તેાિં હરિ I I૬૦ના એજન.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy