________________
નયવિચાર
૩૭૧ નિશ્ચય અને વ્યવહાર
અધ્યાત્મશાસ્ત્રમાં નયોના નિશ્ચય અને વ્યવહાર આ બે ભેદ પ્રસિદ્ધ છે. નિશ્ચયનયને ભૂતાર્થ અને વ્યવહારનયને અભૂતાર્થ પણ ત્યાં જ દર્શાવેલ છે. જેવી રીતે અદ્વૈતવાદમાં પારમાર્થિક અને વ્યાવહારિક બે રૂપમાં, શૂન્યવાદ યા વિજ્ઞાનવાદમાં પરમાર્થ અને સાવૃત બે રૂપમાં, ઉપનિષદોમાં સૂક્ષ્મ અને સ્થળ બે રૂપમાં તત્ત્વનું વર્ણન કરવાની પદ્ધતિ દેખાય છે તેવી જ રીતે અધ્યાત્મમાં પણ નિશ્ચય અને વ્યવહાર આ બે પ્રકારો અપનાવવામાં આવ્યા છે; અત્તર એટલું છે કે જૈન અધ્યાત્મનો નિશ્ચયનય વાસ્તવિક સ્થિતિને ઉપાદાનના આધારે પકડે છે, તે અન્ય પદાર્થોના અસ્તિત્વનો નિષેધ કરતો નથી, જ્યારે વેદાન્ત યા વિજ્ઞાનાદ્વૈતનો પરમાર્થ અન્ય પદાર્થોના અસ્તિત્વને ખતમ કરી દે છે. બુદ્ધની ધર્મદેશનાને પરમાર્થસત્ય અને લોકસંવૃતિસત્ય એ બે રૂપે ઘટાવવાનો પણ પ્રયત્ન થયો છે.'
નિશ્ચયનય પરનિરપેક્ષ સ્વભાવનું વર્ણન કરે છે. જે પર્યાયોમાં પરનિમિત્તની અપેક્ષા હોય છે તેમને નિશ્ચયનય શુદ્ધ સ્વકીય પર્યાયો નથી કહેતો. પરજન્ય પર્યાયોને તે પર માને છે, જેમ કે જીવના રાગ આદિ ભાવોમાં જો કે આત્મા પોતે જ ઉપાદાન હોય છે, આત્મા પોતે જ રાગ રૂપે પરિણત થાય છે. પરંતુ આ ભાવો કર્મનિમિત્તક છે એટલે તેમને તે પોતાના આત્માનું નિજ રૂપ નથી માનતો. અન્ય આત્માઓને અને જગતના સમસ્ત સજીવોને તો તે પોતાના માની જ શકે નહિ પરંતુ આત્મવિકાસના જે સ્થાનોમાં પરનું થોડું પણ નિમિત્તત્વ હોય તેમને પણ તે “પર”ના ખાતામાં જ ખતવી દે છે. તેથી સમયસારમાં જ્યારે આત્મામાં વર્ણ, રસ, સ્પર્શ આદિ પ્રસિદ્ધ પર રૂપોનો નિષેધ કર્યો છે ત્યારે તે જ ઝોકથી યા વલણથી ગુણસ્થાન આદિ પરનિમિત્તક સ્વધર્મોનો પણ નિષેધ કરી દેવામાં આવ્યો છે. બીજા શબ્દોમાં નિશ્ચયનય પોતાના મૂળ લક્ષ્ય યા આદર્શનું ખાલિસ અર્થાત તદ્દન શુદ્ધ વર્ણન કરવા ઇચ્છે છે જેથી સાધકને ભ્રમ ન થાય અને માર્ગ ભૂલી તે રખડી ન પડે. તેથી આત્માનું નૈૠયિક વર્ણન કરતી વખતે શુદ્ધ જ્ઞાયક રૂપને જ આત્માના સ્વરૂપ તરીકે પ્રકાશિત કરવામાં આવ્યું છે. બન્ધ અને રાગાદિને પણ એ જ પર કોટિમાં ૧. સમયસાર, ગાથા ૧૧. ૨. દે સત્યે સમુપત્ય વૃદ્ધાનાં ઘર્માના
તો સંવૃતિસત્યં સત્યં રામર્થત: | માધ્યમિકકારિકા, આર્યસત્ય પરીક્ષા, શ્લોક ૮. 3. णेव य जीवट्ठाणा ण गुणट्ठाणा य अस्थि जीवस्स ।
ને હે સર્વે પુલવ્ય પઝાયા III સમયસાર.