SearchBrowseAboutContactDonate
Page Preview
Page 238
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૧ પ્રમાણમીમાંસા ગુણનો પર્યાય હોય છે તે ક્રિયામાં તે જ ગુણ સાધકતમ બની શકે છે. કેમ કે ‘નાનાતિ યિા જાણવારૂપ ક્રિયા જ્ઞાનગુણનો પર્યાય છે એટલે તે જાણવારૂપ ક્રિયામાં અવ્યવહિત કારણ જ્ઞાન જ હોઈ શકે. કેમ કે પ્રમાણ હિપ્રાપ્તિ અને અહિતપરિહાર કરવામાં સમર્થ છે એટલે તે જ્ઞાન જ હોઈ શકે.' જ્ઞાનનો સામાન્ય ધર્મ છે પોતાના સ્વરૂપને જાણવા સાથે પર પદાર્થને જાણવો. તે અવસ્થાવિશેષમાં પરને જાણે યા ન જાણે પરંતુ પોતાના સ્વરૂપને તો હર હાલતમાં જાણે જ છે. જ્ઞાન ભલે પ્રમાણ હોય, સંશય હોય, વિપર્યય હોય યા અનધ્યવસાય આદિ કોઈ પણ રૂપમાં કેમ ન હોય, તે બાહ્યર્થમાં વિસંવાદી હોવા છતાં પણ પોતાના સ્વરૂપને તો અવશ્ય જાણશે જ અને સ્વરૂપમાં અવિસંવાદી જ હશે. એ તો બની શકે જ નહિ કે જ્ઞાન ઘટ, પટ આદિ પદાર્થોની જેમ અજ્ઞાત રૂપમાં ઉત્પન્ન થઈ જાય અને પછી મન આદિ દ્વારા તેનું ગ્રહણ થાય. તે તો દીપકની જેમ ઝગમગતું જ ઉત્પન્ન થાય છે. સ્વસંવેદી હોવું એ તો સર્વ જ્ઞાનોનો ધર્મ છે. તેથી સંશય આદિ જ્ઞાનોમાં જ્ઞાનાશનો અનુભવ આપોઆપ તે જ જ્ઞાન દ્વારા થાય છે. જો જ્ઞાન પોતાના સ્વરૂપને ન જાણે અર્થાત્ જ્ઞાન સ્વયં પોતાને પ્રત્યક્ષ ન કરે તો તેના દ્વારા પદાર્થનો બોધ ક્યારેય થઈ શકે નહિ. ઉદાહરણાર્થ, દેવદત્તને યજ્ઞદત્તનું જ્ઞાન પ્રત્યક્ષ નથી અર્થાત્ સ્વસંવિદિત નથી એટલે યજ્ઞદત્તના જ્ઞાન દ્વારા દેવદત્તને અર્થનો બોધ થતો નથી, તેવી જ રીતે જો યજ્ઞદત્તને સ્વયં પોતાનું જ્ઞાન તે જ રીતે અપ્રત્યક્ષ હોય જે રીતે દેવદત્તને છે તો દેવદત્તની જેમ યજ્ઞદત્તને પણ પોતાના જ્ઞાન દ્વારા પણ પદાર્થનો બોધ ન થઈ શકે. જો જ્ઞાન પોતાના સ્વરૂપનો જ પ્રતિભાસ કરવામાં અસમર્થ હોય તો તે પરનું અવબોધક કેવી રીતે બની શકે ? સ્વરૂપની દષ્ટિએ બધાં જ્ઞાનો પ્રમાણ છે. પ્રમાણતા અને અપ્રમાણતાનો વિભાગ તો બાહ્ય અર્થની પ્રાપ્તિ અને અપ્રાપ્તિ સાથે સંબંધ ધરાવે છે. સ્વરૂપની દૃષ્ટિએ તો નથી કોઈ જ્ઞાન પ્રમાણ કે અપ્રમાણ પ્રમાણ અને નય તત્ત્વાર્થસૂત્ર (૧.૯)માં અધિગમના જે ઉપાયોનો નિર્દેશ કરવામાં આવ્યો છે તેમનામાં પ્રમાણ અને નયનો નિર્દેશ કરવાનું એક બીજું કારણ પણ છે. પ્રમાણ ૧. હિતાદિતપ્રાપિરિહા સમર્થ દિ પ્રમi તતો જ્ઞાનમેવ તત્ / પરીક્ષામુખ, ૧.૨. ૨. માવપ્રમેયાપેક્ષા પ્રમાણમાનિલવ: | વદ પ્રમેયાપેક્ષાયાં 9મા તમિં | આતમીમાંસા, શ્લોક ૮૩.
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy