SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ સાત તત્ત્વોનું નિરૂપણ ૧૬૯ ચોરી કરી લેવાની ઇચ્છા થતી હતી. આ બધી ઘટનાઓ ઉપરથી આપણે એક નિશ્ચિત પરિણામ પર તો પહોંચી જ શકીએ છીએ કે આપણી બધી જ પર્યાયશક્તિઓ જેમનામાં જ્ઞાન, દર્શન, સુખ, સાહસ, ધર્ય, રાગ, દ્વેષ અને કષાય આદિ સમાવિષ્ટ છે આ શરીરપર્યાયના નિમિત્તથી વિકસે છે. શરીર નાશ પામતાં જ સમસ્ત જીવનભર ઉપાર્જિત કરેલી જ્ઞાન આદિ પર્યાયશક્તિઓ પ્રાયઃ ઘણીખરી નાશ પામી જાય છે, પરલોક સુધી તો તેમના કેટલાક સૂક્ષ્મ સંસ્કારો જ જાય છે. વ્યાવહારિક દૃષ્ટિએ જીવ મૂર્તિક પણ છે જૈન દર્શનમાં વ્યવહારનયથી જીવને મૂર્તિક માનવાનો અર્થ એ છે કે અનાદિ કાળથી આ જીવ શરીરસબુદ્ધ જ મળતો આવ્યો છે. સ્થૂળ શરીર છોડવા છતાં પણ સૂક્ષ્મ કર્મશરીર તો સદા તેની સાથે જ રહે છે. આ સૂક્ષ્મ કર્મશરીરના નાશને જ મોક્ષ કહે છે. ચાર્વાકનો દેહાત્મવાદ દેહની સાથે જ આત્માનો નાશ માને છે જ્યારે જૈનોના દેહપરિમાણઆત્મવાદમાં આત્માની સ્વતંત્ર સત્તા હોવા છતાં પણ તેનો વિકાસ અશુદ્ધ દશામાં દેહાશ્રિત અર્થાત્ દેહનિમિત્તક માનવામાં આવ્યો છે. આત્માની દશા આજનું વિજ્ઞાન આપણને કહે છે કે જીવ જે પણ વિચાર કરે છે તેની આડીસીધી અને છીછરી-ઊંડી રેખાઓ મસ્તિષ્કમાં ભરેલા માખણ જેવા શ્વેત પદાર્થમાં પડે છે અને તે રેખાઓ અનુસાર સ્મૃતિ તથા વાસનાઓ જાગૃત થાય છે. ઉદાહરણાર્થ, અગ્નિથી તપેલા લોઢાના ગોળાને પાણીમાં મૂકતાં જ તે ગોળો જલના ઘણાખરા પરમાણુઓને પોતાની અંદર શોષી લે છે અને વરાળ બનાવીને કેટલાક પરમાણુઓને બહાર કાઢે છે. જ્યાં સુધી તે ગરમ હોય છે ત્યાં સુધી તે પાણીમાં ઉથલપાથલ પેદા કરે છે, કેટલાંક પરમાણુઓને લે છે, કેટલાકને બહાર કાઢે છે, કેટલાકની વરાળ બનાવે છે, અર્થાત એક અજબ પરિસ્થિતિ આસપાસના વાતાવરણમાં ઊભી કરી દે છે. તેવી જ રીતે જ્યારે આ આત્મા રાગ-દ્વેષ આદિથી ઉત્તત થાય છે ત્યારે શરીરમાં એક અદ્ભુત હલનચલન પેદા કરે છે. ક્રોધ આવતાં જ આંખ લાલચોળ થઈ જાય છે, લોહીની ગતિ વધી જાય છે, મોટું સૂકાવા લાગે છે, નસકોરાં ફંગરાય છે. જ્યારે કામવાસના જાગે છે ત્યારે આખા શરીરમાં એક વિશેષ પ્રકારનું મન્થન શરૂ થઈ જાય છે અને જ્યાં સુધી તે કષાય કે વાસના શાન્ત નથી થતી ત્યાં સુધી આ ખળભળાટ અને મન્થન આદિ અટકતાં નથી. આત્માના વિચારો અનુસાર પુદ્ગલડ્યોમાં પણ પરિણમન થાય છે અને તે વિચારોના
SR No.022528
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorMahendra Jain, Nagin G Shah
Publisher108 Jain Tirthdarshan Bhavan Trust
Publication Year2012
Total Pages528
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy