________________
સ્મરણ કરીએ છીએ. બંને આચાર્ય ભગવંતો આજ આપણી સમક્ષ સદેહે બિરાજમાન નથી. પરંતુ તેમની પ્રેમાળ પ્રેરણાભરી સ્મૃતિના સહારે પ.પૂ. આચાર્યશ્રી વિજય સોમચન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની રાહબરી તળે ગ્રન્થમાળાના પ્રકાશનનું કાર્ય અને ચાલુ રાખ્યું છે. બંને સ્વ. આચાર્ય ભગવંતોના અનંત ઉપકારનું સ્મરણ કરી આ ગ્રન્થમાળાનાં પુષ્પો તેમને સમર્પણ કરતાં અમે ઊંડો આહ્વાદ અનુભવીએ છીએ. સમગ્ર ગ્રંથશ્રેણીનું સુપેરે સંચાલન-સંપાદન કરવા માટે તેના માનદ્ સંપાદકો ડૉ. નગીનભાઈ શાહ અને ડૉ. રમણીકભાઈ શાહનો આભાર માનીએ છીએ. ગ્રન્થમાળામાં પ્રકાશિત તેર ગ્રન્થોના અનુવાદો પણ તેમણે જ કર્યા છે.
જૈન દર્શનના પ્રકાશનમાં આર્થિક સહયોગ આપવા બદલ શ્રી રાંદેરરોડ છે. મૂ.પૂ. જૈન સંઘ, અડાજણ પાટીઆ, સુરતનો આભાર માનીએ છીએ અને તેમની શ્રુતભક્તિની ભૂરિ ભૂરિ અનુમોદના કરીએ છીએ. ઉત્તમ છાપકામ માટે માણિભદ્ર પ્રિન્ટર્સના શ્રી કનુભાઈ ભાવસાર અને સુંદર સચિત્ર ટાઈટલ ડિઝાઈન માટે કીંગ ઈમેજ પ્રા. લિ.ના ડાયરેકટર શ્રી જીવણભાઈ વડોદરિયાનો આભાર માનીએ છીએ.
ટ્રસ્ટીગણ, શ્રી ૧૦૮ જૈન તીર્થદર્શન ભવન ટ્રસ્ટ,
શ્રી સમવસરણ મહામંદિર તળેટી પાસે, પાલીતાણા.