SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩૬ તત્ત્વાર્થ સૂત્ર આ ધર્માદિથી અન્ય કોઈ સત નથી. અર્થાત્ આ પાંચ સિવાય કશું છે જ નહીં. આ રીતે વ્યવહારનયના મતે પૂ. ભાષ્યકાર મા માતૃકાપદ જ સત્ છે તેના ત્રણ વિકલ્પો બતાવી પાંચે દ્રવ્યોનો સંગ્રહ કર્યો અને તે જ સત્ છે તે જણાવ્યું. હવે પૂ. ભાકાર મ. “અમાતૃકાપદં વા” આ ભાષ્યથી ધર્માદિમાં જે પરસ્પર વ્યાવૃત્તિ છે તેને સ્પષ્ટ કરે છે અર્થાત અમાતૃકાપદના વિકલ્પો દ્વારા તે પરસ્પરની વ્યાવૃત્તિ ધર્માદિ પાંચમાં જ છે એનાથી ભિન્નમાં નથી એટલે અમાતૃકાપદ પણ તે પાંચ જ છે. તે બતાવી રહ્યા છે તેને આપણે વિચારીએ છીએ. ધર્માસ્તિકાયાદિ પાંચ માતૃકાપદ જ સત છે તો તેનાથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય એવું કેમ ન બને ? જો ધર્માદિ પાંચથી ભિન્ન કોઈ વસ્તુ હોય તો તો તેમાં અમાતૃકાપદ આદિ વિકલ્પોનો વ્યપદેશ યુક્ત બની શકે પરંતુ ધર્માદિ પાંચથી જુદી કોઈ વસ્તુ જ નથી. જેને તમે અમાતૃકાપદ કહી શકો, અને સંજ્ઞા અને સ્વલક્ષણ આદિનો અભાવ હોવાથી તે અસત્ છે. માટે ધર્મ જ અધર્મના લક્ષણથી જુદો પડતો તે અધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે. એવી રીતે અધર્મ એ ધર્મના લક્ષણથી જુદો પડતો તે ધર્મના લક્ષણરૂપે અસત્ કહેવાય છે. આવી રીતે બાકીના અસ્તિકાયોમાં પણ વિચારણા કરવી જોઈએ. આ રીતે ધર્માદિથી જુદું કોઈ અમાતૃકાપદ અસત્ કહેવાતું હોય તેવું બની શકે નહિ. આમ આપણે વિચાર્યું કે ધર્માદિ દ્રવ્યો જ સત્ છે અને અસત્ છે. પરસ્પર પોતપોતાના લક્ષણથી સત્ છે અને પરસ્પર બીજાના લક્ષણથી અસત્ છે. ' એવી જ રીતે આ ધર્માસ્તિકાયાદિ જ માતૃકાપદ છે અને અમાતૃકાપદ છે તે કેવી રીતે તે બતાવીએ છીએ. સર્વ સની ગતિવિશેષોના જન્મમાં હેતુ હોવાથી ધર્માસ્તિકાય માતૃકાપદ છે અને તે જ ધર્માસ્તિકાય સર્વ સની સ્થિતિ વિશેષથી જન્મેલી વ્યાવૃત્તિ-ભેદની અપેક્ષાએ અમાતૃકાપદ છે. આ એકવચનને લઈને સમજાવ્યું. આ રીતે દ્વિવચન અને બહુવચનમાં વિચારણા કરી લેવી. તે આ પ્રમાણે આ પાંચની મધ્યમાં સ્વલક્ષણ વડે બેની વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની સ્વલક્ષણ વડે વિવક્ષા કરીએ ત્યારે “માતૃકાપદાનિ આ વિકલ્પ બને. એવી જ રીતે આ પાંચની મધ્યમાં બીજાની વ્યાવૃત્તિવિશેષથી બેની વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદે આ વિકલ્પ બને. ત્રણ, ચાર કે પાંચની બીજાની વ્યાવૃત્તિવિશેષથી વિવક્ષા કરીએ ત્યારે “અમાતૃકાપદાનિ' આ વિકલ્પ બને. આ બધાનો મતલબ એ છે કે—ધર્માસ્તિકાય ગતિવિશેષોનું કારણ છે એટલે કે જેમ જન્મ આપનારી માતા હોય છે તેમ ધર્માસ્તિકાય ગતિવિશેષના જન્મમાં કારણ હોવાથી માતૃકાપદ છે,
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy