SearchBrowseAboutContactDonate
Page Preview
Page 363
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ તત્ત્વાર્થ સૂત્ર વિચારવું. આકાશમાં સત્ત્વાદિથી નિત્યતા, અવગાહકની અપેક્ષાએ અનિત્યતા... વળી આકાશદ્રવ્ય પણ સત્ત્વ, અમૂર્તત્વ, અનંતપ્રદેશવન્ત આદિ ધર્મો દ્વારા નિત્ય છે અને અવગાહક દ્રવ્યોની અપેક્ષાએ અવગાહદાતાપણે અનિત્ય છે. શંકા - અહીં એક શંકા થાય છે કે અલોકાકાશમાં તો અવગાહક દ્રવ્ય નથી તો ત્યાં અનિત્યતા કેવી રીતે સંભવશે? અલોકમાં અનિત્યતા અગુરુલઘુ પર્યાયની અપેક્ષાએ છે.. સમાધાન - જ્યાં અવગાહક જીવ કે પુગલ નથી ત્યાં પણ અગુરુલઘુ આદિ પર્યાયથી અવશ્યમેવ અનિત્યતા સ્વીકારવી જોઈએ. કેમ કે ત્યાં અગુરુલઘુ પર્યાયો બીજા બીજા થયા જ કરે છે. જો આવું ન માનીએ તો ત્યાં સ્વતઃ -સ્વાભાવિક ઉત્પાદ-વ્યય છે નહીં અને આપેક્ષિક ઉત્પાદ-વ્યય નથી તો ત્યાં “ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્યયુક્ત સત્ આ લક્ષણ અવ્યાપ્ત થાય. ઉત્પાદ-વ્યય ઘટ્યા નહીં તો લક્ષણ ન્યૂન જ રહ્યું. આ જ પરિણામ નિત્યતાને ભાષ્યકાર મા બતાવે છે. ભાષ્ય :- જે સના ભાવથી વ્યય પામતું ન હોય અને જે વિનાશ પામશે નહિ તે નિત્ય છે. ભાષ્યકારે ભૂતકાળનું અગ્રહણ કયા કારણથી કર્યું? અન્વયી(દ્રવ્ય)ના અંશ સત્ત્વાદિથી જે વ્યય-વિનાશ પામતો ન હોય અને જેનો વિનાશ થશે નહીં તે નિત્ય છે. અહીં શું કારણ છે કે ભાષ્યકારે અપ્રવૃત્ત કાળ એટલે ભૂતકાળ ન કહ્યો? ભૂતકાળના અગ્રહણનું કારણ આ શંકાનું સમાધાન વિચારતાં ભાષ્યકારે ભૂતકાળ કેમ ન કહ્યો તેનું કારણ એ છે કે ભાષ્યકાર આ પ્રમાણે માને છે કે–અતીતનો નિષેધ કરવામાં આવે તો વર્તમાન સંભવે નહીં. કેમ કે વર્તમાન એ અતીતની અવધિ છે. અતીતપણું એ વર્તમાનની મર્યાદાવાળું છે. વર્તમાન એ જ અતીત બને છે. કેમ કે અતીતકાળ અસત્ હોય, અતીતકાળ નથી એવું સ્વીકારીએ તો નિર્મૂળ વસ્તુના અનુત્થાનનો પ્રસંગ આવશે. જેનું મૂળ જ નથી તેનું ઉત્થાન બની શકે નહીં. તેથી જીવાદિ સત્ત્વાદિ અનાદિ છે. આમ આમાં વર્તમાન અને ભવિષ્ય બે જ કાળ લીધા પણ ભૂતકાળ નથી લીધો તેનું કારણ એ જ સમજાય છે કે સત્ત્વનો ભૂતકાળ હોતો જ નથી. કેમ કે જીવાદિ સત્ત્વાદિ અનાદિના છે. જીવાદિ સત્ પદાર્થો અનાદિથી છે. કોઈ કાળે સત થયેલા નથી. ભૂતકાળનો પ્રયોગ કરે તો ૧. અહીં અવિભક્ત આકાશ લઈને કહી રહ્યા છે.
SR No.022527
Book TitleTattvarthadhigam Sutra Pancham Adhyaya Vivechan
Original Sutra AuthorN/A
AuthorVikramsuri, Naypadmashreeji
PublisherShrutnidhi
Publication Year2003
Total Pages606
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy