SearchBrowseAboutContactDonate
Page Preview
Page 87
Loading...
Download File
Download File
Page Text
________________ પદ અમનસ્ક જીવો (૨) દીર્ઘકાલિકી સંજ્ઞા - જેમાં ઈહા-અપોહ થાય, ગુણ-દોષની વિચારણા થાય, ત્રણે કાળની વિચારણા થાય તે. (૩) દૃષ્ટિવાદોપદેશિકી સંજ્ઞા - સમ્યગ્દષ્ટિ જીવોને હોય તે. બીજી રીતે સંજ્ઞાઓ ચાર પ્રકારની છે. તે આ પ્રમાણે – ૧) આહારસંશા - અસાતાવેદનીયના ઉદયથી આહારની અભિલાષા થવા પૂર્વક વિશિષ્ટ પુગલોને ગ્રહણ કરવા તે આહાર સંજ્ઞા. ૨) ભયસંજ્ઞા - ભય પામવો તે ભયસંશા. ૩) મૈથુનસંજ્ઞા - પુરુષવેદ વગેરે વેદના ઉદયથી દિવ્ય-દારિક સંબંધની અભિલાષા થવી તે મૈથુનસંજ્ઞા. ૪) પરિગ્રસંશા - મૂચ્છ એ પરિગ્રહસંજ્ઞા. ૨) અમનસ્ક જીવો - જે જીવોને માત્ર ભાવમન હોય, પણ દ્રવ્યમન ન હોય તે અમનસ્ક જીવો. સંમૂચ્છિમ મનુષ્યો, સંમૂ૭િમ પંચેન્દ્રિય તિર્યંચો, વિકલેન્દ્રિય અને એકેન્દ્રિય એ અમનસ્ક જીવો છે. અસંશી જીવો અમનસ્ક છે. જેને દીર્ઘકલિકી સંજ્ઞા ન હોય તેવા અસંજ્ઞી જીવો અહીં લેવા. સંસારી જીવોના બીજી રીતે બે પ્રકાર છે - સ્થાવર અને ત્રાસ. (સૂત્ર-૨/૧૨) ૧) સ્થાવર - જેઓ તાપ આદિથી પીડિત થયે છતે એક સ્થાનથી બીજા સ્થાને જઈ શકતા નથી, જેમના સુખ, દુઃખ, ઇચ્છા, દ્વેષ વગેરે અસ્પષ્ટ હોય છે તે સ્થાવર નામકર્મના ઉદયવાળા જીવો તે સ્થાવર.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy