SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪ મા ઉપયોગના બે પ્રકાર ૧) ચક્ષુદર્શનોપયોગ - આંખથી થતો સામાન્ય બોધ. ૨) અચક્ષુદર્શનોપયોગ - આંખ સિવાયની ચાર ઇન્દ્રિયો અને મનથી થતો સામાન્ય બોધ. ૩) અવધિદર્શનોપયોગ – અમુક મર્યાદામાં રહેલ રૂપી પદાર્થોનો સામાન્ય બોધ. ૪) કેવળદર્શનોપયોગ – લોકાલોકના સર્વ દ્રવ્યોના સર્વ પર્યાયોનો સામાન્ય બોધ. જે બહારથી ખાલી થાય છે તે અંદરથી ભરાય છે. જે બહારથી શૂન્ય બને છે તે અંદરથી પૂર્ણ બને છે. જેને કંઈ જોઈતું નથી તેને બધું મળે છે. જે દોડે છે તે ભટકે છે. જે સ્થિર થાય છે તે પહોંચે છે. સૂતેલાઓની વચ્ચે જાગતા રહેવું. તીવ્ર બુદ્ધિવાળા પંડિત આયુષ્યનો વિશ્વાસ ન કરવો. કાળ નિર્દય છે. શરીર અબળ છે. માટે ભારેડ પક્ષીની જેમ અપ્રમત્ત રહેવું. • કીર્તિનો જાદુ પ્રેમના તમામ આકર્ષણને ટપી જાય છે, કારણ કે વૃદ્ધાવસ્થા કે મૃત્યુ પણ તેને દૂર કરી શકતા નથી • ચિંતન કરવા માટે ટોળાથી દૂર જવું જોઈએ અને ક્રિયાશીલ બનવા માટે ટોળામાં ઓગળી જવું જોઈએ. • પ્રભુ તો એવા પ્રેમાળ છે કે તેને મેળવવા તમે એકાદું પગલું ભરશો તો તે તમને મળવા સામેથી આવશે. • હે પ્રભુ ! જો કોઈવાર તારા આહ્વાનથી મારી ઊંઘ ન ઊડી જાય તો તું મને પજવેદનાથી જગાડજે, પાછો ન ચાલ્યો જતો.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy